SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ ઉપર આરામનંદનની કથા. પર્શથી તત્કાલ કામ જાગ્રત થતાં મહાબલ તે હાથી તેની સાથે રમવાની ઈચ્છાથી હળવે હળવે પિતે ઉઠ્યો. જ્યારે ધીમાન આરામનંદને મહાવતેને આદેશ કર્યો કે–અરે ! હળવે હળવે હાથને બહાર ખેંચવા માંડો.” તેમણે તેમ કરતાં વાધરવતી જળ-કેશની જેમ હાથણીની પાછળ લાગેલ તે હાથીને બહાર આણ્યો અને વારંવાર હાથણુને આકૃષ્ટ કરતાં, અયસ્કાંતથી ખેંચાતા લેહની જેમ તેને ગજશાળા સુધી તેઓ લઈ ગયા એવામાં “અહે બુદ્ધિ! અહો બુદ્ધિ!” એમ લેકો રાજાની પાસે આરામનંદનની પ્રશંસા કરવા લાગ્યા. એ બુદ્ધિથી સંતુષ્ટ થયેલ રાજાએ તેને પારિતોષિક આપવાની ઈચ્છાથી ગૌરવ પૂર્વક પોતાની પાસે બેલા. એટલે તે રાજસભામાં આવ્યું, ત્યાં પંચાંગપ્રસાદ આપી રાજાએ કહ્યું કે –“હે ધીમાન્ ! વર માગી લે.” ત્યારે સાગર શેઠને સભામાં બોલાવી, તેણે સજાને નિવેક્ત કર્યું કે હે રાજન! એ વર આ શેઠને આપે.” એમ તેના કહેતાં રાજાએ સાગર શેઠને વર માગવા કહ્યું, તેણે ક્ષણભર વિચારી, રાજા પાસે તે નગરનું શ્રેષિપદ સદાને માટે માગી લીધું. પ્રથમ તે નામ માત્રથી શેઠ હતું, પણ હવે રાજાએ સન્માનથી તે પદ આપ્યું, જેથી નગરજને તેને ભારે સત્કાર કરવા લાગ્યા. કારણ કે રાજમાન્ય લેક પૂજાય છે. ત્યાં શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે એણે મને નગરમાં શ્રેષપદ અપાવ્યું, માટે એને હું મારી પુત્રી આપું, કારણ કે આપવા અને લેવાથી સનેહ વધે છે.” એમ ધારી, શ્રેષ્ઠીએ તેને એકાંતમાં બેલાવી, ભૂત્યુની જેમ ગારવથી અંજલિ જેને જણાવ્યું કે રાજાએ પોતે પ્રસાદ આપતાં તમે ન લીધું તે સારા ઘરમાં એવી શી ચીજ છે કે જે આપતાં તમને સતય પમાડું, છતાં એટલી હું પ્રાર્થના કરું છું કે મારે એક કુમારી - ૨ ચમક.
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy