SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૧ પૂર્વબદ્ધ કર્મ માં થતું પરિવર્તન ઉદીરણા સમયે સમ્યગ્દષ્ટિ આત્માઓ તે એમ જ વિચારે કે, સહન કરવાની તાકાત નથી, છતાં ફળદેનાર કર્મો વડે હવે મુંઝાવું નકામું છે. સત્તામાં હતાં તે ભેગવવાનું બન્યું. આજ સહન કરવાની તાકાત નથી, પણ કદાચ આથીયે વધુ કમ તાકાતના સંગમાં ઉદય આવશે તે આથી પણ વધુ ખરાબ દશા થશે. માટે હવે તે ઉદીરણા થવાના હેતુને ખસેડવાના પ્રયત્નો કરવા જ નથી. કદાચ અત્યારે તેવા હેતુને ખસેડાશે, પણ પુનઃ જ્યાં સુધી કર્મ સત્તામાં હશે, ત્યાં સુધી તેવા હેતુઓ ઉપસ્થિત નહીં થાય તેની શું ખાતરી ? માટે હવે તે સમભાવ કેળવી જોગવી લેવું, એજ હિતકારક છે. કલ્યાણકારી કાર્ય કરનારને નિશ્ચય હોય છે કે, કમસર આવેલાં વિઘોને ભોગવીશ એટલું જ નહિ, પણ ઉદયમાં નહી આવેલાને પણ ઉદયમાં લાવીને તોડી નાખીશ, અને તે પ્રમાણે તેના પ્રયત્ન કરતો રહીશ. અનુક્રમે ઉદયમાં આવેલાં કર્મોને તે ચારે ગતીના જીવે ભેગવે છે. મનુષ્ય ગતિમાં ધર્મ પામ્યા, ધર્મનું આચરણ કરવાની સ્થિતિમાં આવ્યા, ત્યારે પહેલેથી અનુદય કર્મને ખેંચી લાવી,નાશ કરવાને ઉદ્યમ કરવાને છે. દરેક ગતિવાળાને અબાધાકાળ જાય ત્યારે જેમ જેમ કર્મઉદયમાં આવે છે, તેમ તેમ ભેગવાતાં જાય છે, પણ મોક્ષ માટે તૈયાર થયેલે જીવ તે જુદે જ વિચાર રાખે. એની મેળે ઉદય આવે તેજ મારે ભોગવવાં તેમ નહી.પણ ઉદયમાં ન આવવાનાં હોય તેને પણ ઉદયમાં લાવવાં કે જેથી તે મારી આધીનતાએ રહે અને તે કર્મો તૂટી જાય. એ કાર્ય, કેવળ સમકિતી, સમજદાર, ધર્મ કરવાવાળે જ કરી શકે. કર્મોને ધ ગતીના એ હાશ અનુનાખીશ,
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy