SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ . જૈન દર્શનને કર્મવાદ તથા ઉત્તરહેતુ પાંચ મિથ્યાત્વ, બાર અવિરતિ, પચવીસકષાય અને પંદર વેગ એમ સત્તાવન છે. વળી કર્મ આવવાના માર્ગરૂપ આશ્રવતત્ત્વના પાંચ ઇંદ્રિય, ચાર કષાય, પાંચઅવ્રત, ત્રણ જોગ અને પચવીસકિયા, એમ કર ભેદ શાસ્ત્રમાં કહ્યા છે. બન્ધહેતુ કહે કે આશ્રવ કહે, પણ વસ્તુતાએ તે તે બન્ને એક જ છે. તેમાં બન્ધહેતુના ચાર ભેદ, પાંચ ભેદ કે બે ભેદ, અગર આશ્રવના કર ભેદ, એ રીતે સંખ્યાને અને તેને લીધે નામને ભેદ હોવા છતાં, તાત્વિક દષ્ટિએ એમાં કશે ભેદ છે જ નહિં. - કર્મની ખરી જડતે કષાયજ છે. ત્રણ પ્રકારના રોગો સમાનપણે વર્તતા હોવા છતાં, કષાયમુક્ત આત્માને બંધાતું કર્મ, નથી તે વિપાકજનક થતું, કે નથી બે સમયથી અધિક સ્થિતિ પ્રાપ્ત કરતું. માટે કર્મબંધમાં કષાયની જ પ્રધાનતા સૂચવવા માટે તત્વાર્થ સૂત્રના અધ્યાય આઠમાના સૂત્ર બીજામાં કહ્યું છે કે, કષાયના સંબંધથી જ જીવ, કર્મને યેગ્ય પગલે ગ્રહણ કરે છે. અને વ્યવહારમાં પણ આપણે બેલીએ છીએ કે રાગદ્વેષથીજ કર્મ બંધાય છે. પરંતુ કર્મના આશ્રવને રોકવાની જિજ્ઞાસુઓને રાગ અને દ્વેષની વિવિધ રીતે વર્તતી અવસ્થાને ખાસ ખ્યાલ હવે જોઈએ. કર્મબંધના વિશેષ હેતુઓ – મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને વેગ એ ચારહેતુ કર્મબંધના વિચાર્યાબાદ, હવે કેટલાક વિશેષ હેતુ વિચારીયે.
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy