SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મબન્ધના હેતુઓ ૪૦ જાતને અસંયમ છે. માટે તેને કષાયમાં જ અન્તર્ગત ગણી. બન્ધહેતુઓ ચાર ગણાવ્યા છે. આત્માની મિથ્યાત્વ અને અવિરતિ દેશા વર્તવામાં મુખ્ય કારણ તે મેહનીય કર્મને જ ઉદય છે. એટલે જ આગળ મેહનીયકર્મના વિવરણમાં વિચારાયું છે કે આત્માને મિથ્યાત્વ દશામાંથી મુક્ત થવા નહિં દેનાર અનંતાનુબંધિ કષાય છે. અને આત્માને અવિરતિ દશામાં રાખનાર તે અપ્ર. ત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન કષાય છે. જેથી મિથ્યાત્વ અને અવિરતિ એ કષાયના જ ઉદયવાળી જીવની અમુક દશા હેઈ, તે બનને હેતુ, કષાયના સ્વરૂપથી જુદા પડતા નથી. માટે બન્ધહેતુઓ કષાય અને પેગ બેજ પણ ગણી શકાય છે. એ રીતે બન્ધહેતુઓ મુખ્ય પણે કષાય અને વેગ એમ બે છે. પરંતુ આધ્યાત્મિક વિકાસની ઊતરતી–ચડતી ભૂમિકારૂપ ગુણસ્થાનકમાં બંધાતી કર્મપ્રકૃત્તિઓની તારતમ ભાવના કારણમાં મેહનીય કર્મના ઉદયથી વર્તતી કઈ દશા કઈ કર્મપ્રકૃતિઓના બન્ધમાં કારણભૂત છે, તે સાદી સમજના લેકેને સહેલાઈથી સમજાવવા માટે, જ્ઞાનિપુરૂષોએ મિથ્યાત્વ અને અવિરતિને કર્મબંધના હેતુમાં જુદાં જુદાં ગણવ્યાં છે. કષાયના ઉત્તર ભેદ પચવીસ તથા યેગના મૂળભેદ ત્રણ અને ઉત્તર ભેદ પંદર છે. એ રીતે કર્મબંધના મૂળ હેતુ તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એમ ચાર
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy