SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની વિભાવ શા ૨૩૬ કેવળજ્ઞાન અને કેવળદશમના એક એક ભેદ ગણતાં સ્વાભાવિક અને વિભાવિક એમ બન્ને મળી આઠ ભેદ, જ્ઞાનનાં અને ચાર ભેદ દશ નના છે. ક્ષાયેાપશમિક જ્ઞાન દર્શન ચુક્ત આત્મદશા તે વિભાવિક, અને ક્ષાધિક જ્ઞાન દર્શન ચૂકત આત્મદશા તે સ્વાભાવિક દશા છે. ત્રણે લેાકમાં રહેલ રૂપી અરૂપી સદ્રબ્યાની, ત્રણેકાળ અંગેની ઉત્પાદન–વ્યય અને ધ્રુવરૂપ ત્રણે પ્રકારની પરિણતિને, સકળ સમયે જાણવાની આત્મામાં જ્ઞાન શકિત હોવા છતાં. પશુ, કર્મ પુદ્ગલથી આચ્છાદિત તે જ્ઞાનશકિત, અરૂપી (વણું ગંધ, રસ અને સ્પ રહિત ) પદાર્થને તે સાક્ષાત્ આત્માથી જાણી અનુભવી શકતી જ નથી. કર્મ પુદગલથી આચ્છાદિત તે જ્ઞાનશકિત, અનેક પ્રકારની હોવાથી તેમાં કેટલીક જ્ઞાનશકિતની માત્રાએ તા પદા ને મનાયુકત ઈન્દ્રિયા દ્વારા જ જાણી શકે છે. આંખથી જોવાય છે, જીભથી ચખાય છે, નાકથી સુંધાય છે, કાનથી સંભળાય છે, અને ચામડીથી અડાય છે, તે બધા. જ્ઞાનમાં આવા પ્રકારની જ્ઞાનશકિત જ કામ કરી રહી છે. તર્ક શિત, અનુમાન કરવાની શક્તિ, સ્મૃતિમાં લાવનાર શકિત, આ બધી શક્તિએ આવા પ્રકારની જ્ઞાનશકિતના જ પ્રકાર છે. આવી જ્ઞાનશક્તિની માત્રાઓને જૈન દશ નકારે એ “ મતિજ્ઞાન ”ની સંજ્ઞા આપેલી છે. આ મતિજ્ઞાનના ઉપચેાગ, પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠા મનથી જ પ્રવર્તે છે. અમુક ઇન્દ્રિયથી અમુક વિષયને જ ગ્રહણ કરી શકાય છે. જે વિષય જે ઇન્દ્રિયના હાય, તે વિષયના ખ્યાલ તેજ ઇન્દ્રિય.
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy