SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ _ = મ, , છે કે : 1...' ના , * T', , , , - 1 - - - ક ૨૨ જૈન દર્શનને કર્મ વાદ તથા તે બંનેને કામમાં લેવાં તેને “ઉપગ” કહેવાય છે. જ્ઞાનશક્તિનો ઉપયોગ તે “જ્ઞાને પગ” અને દર્શનશક્તિને ઉપગ તે દશને પગ છે. જીવ દ્વારા રાગદ્વેષ– ની પરાધીનતા રહિત ઉપયોગ જ્યારે હોય છે, ત્યારે તેને “ચારિત્ર કહેવાયું છે. કર્મના સર્વથા આવરણરહિત એટલે ક્ષાયિક ભાવે વર્તતું જ્ઞાન અને દર્શન, સર્વજીમાં સદાને માટે એક સરખું જ હોય છે. એવા જ્ઞાન-દર્શનને ક્રમશઃ કેવળજ્ઞાન અને કેવળદર્શન કહેવાય છે. સ્વાભાવિક દશામાં આત્મા, સર્વજ્ઞ અને સર્વદશી હોય છે. કેવલજ્ઞાન પ્રાપ્ત સર્વ આત્માનું સર્વજ્ઞત્વ અને સર્વદશ – જૂનાધિક હેઈ શકતું જ નથી. અર્થાત્ સર્વમાં બરાબર હોય છે. વિભાવિક દશામાં આત્માના તે જ્ઞાનદર્શનગુણ, પુદ્ગલ પરમાણુઓના સમૂહથી આચ્છાદિત હોય છે. આછાદિતપણે વર્તતી તે જ્ઞાન-દર્શનની પ્રભા “વિભાવિક અથવા ક્ષાપશમિક જ્ઞાન-દર્શન કહેવાય છે. જેમ જેમ તે પ્રભા વિશેષરૂપે ખંડિત હોય છે, તેમ તેમ ક્ષપશમ ઘટતે જાય છે. અને જેમ જેમ તે પ્રભા, ઓછી ખંડિત હોય છે, તેમ તેમ પશમની વૃધ્ધિ થતી જાય છે. કર્મથી આચ્છાદિત દશામાં જ્ઞાન અને દર્શનને ક્ષપશમ અનેક પ્રકાર હોય છે. અનેકવિધ ક્ષપશમને અનુલક્ષીને કર્મઉપાધિઓના ભેદાનુસાર જ્ઞાન-દર્શનના પણ અનેકભેદ વર્તતા હોવા છતાં સ્કૂલપણે ક્ષાપથમીક જ્ઞાનના મતિ વગેરે સાતભેદ, અને ક્ષાપશમક દર્શનના ચક્ષુ-અચક્ષુ અવધિદર્શન એમ ત્રણ ભેદ, શાસ્ત્રમાં પાડવામાં આવ્યા છે. તેમાં ક્ષાયિક ભાવનું પોતાને - { *_ * -
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy