SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૩ કર્મબન્ધના હેતુઓ અવિરતિસમ્યગ્દષ્ટિજીવ એથી આગળ વધેલો હેય. કારણકે ભગવાન શ્રીજિનેશ્વરદેવોએ કહેલા તના સ્વરૂપમાં એ રૂચિવાળે હોય. તરવસ્વરૂપની આ રૂચિને અંગે એ એવા નિર્ણયવાળો હોય કે જેમ મેળવવા ગ્ય એક મેક્ષ જ છે, તેમ મોક્ષને મેળવવાને માટે સેવવા 5 એકમાત્ર ભગવાન શ્રીજિનેશ્વર દેએ ફરમાવેલ રત્નત્રયી સ્વરૂપ મોક્ષમાર્ગ જ છે. આવી રૂચિ, આવી માન્યતા તે શંકાદિ દોષથી રહિત હોય છતાં પણ, અવિરતિને આચરનારે હોવાથી તેને “અવિરતિ સમ્યગુદષ્ટિ” કહેવાય છે. અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવમાં એક અઢારમા પાપસ્થાનક સિવાયનાં સત્તર વાપસ્થાનકના સેવનને પણ સંભવ હોઈ શકે છે. પરંતુ હોય જ એમ માનવું નહિં. ' હવે દેશવિરતિધર સુશ્રાવકનો વિચાર કરીએ. તે વિરતિનીજ લાલસાવાળે હોવા છતાંય તેનામાં વિરતિ ઘણી ડી અને અવિરતિ ઘણું મોટી હોય. ત્યાર પછી છઠું ગુણસ્થાનકે રહેલા સુસાધુઓને વિચાર કરે. તેમને પણ અપ્રમત્ત સંયમની ભાવના છતાં અપ્રમત્તપણું હોઈ શકતું નથી. આ ઉપરથી એમ નહિં જ કહી શકાય કે જે માણસ જે કંઈ કરે છે, તે તેને કરવું ગમે જ છે, કે કરવા ગૃજ લાગે છે, માટે જ તે કરે છે. અણુહારીપદની સાધનાની તીવ્ર રૂચિ ધરાવનારને અને એના માટે શક્ય એટલે પ્રયત્ન કરનારને પણ આહાર લેવું પડે એ બને. તેમજ અપ્રમત્તપણે જીવવાની અભિલાષાવાળાને તથા અપ્રમત્ત ભાવને પેદા કરવાના પ્રયત્નમાં
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy