________________
૩૪૭
સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ
સ્થિતિબન્ધગત અનુભાગાધ્યવસાયસ્થાનમાંથી અમુક સંખ્યા પ્રમાણ અનુભાગાધ્યવસાયસ્થાનેનું પાશ્ચાત્ય કેટલાક સ્થિતિબન્ધ સુધી હોવાપણાને અનુકૃષ્ટિ કહેવાય છે. અમુક સ્થિતિ બન્યમાં જે અનુભાગાધ્યવસાયસ્થાને હોય છે, તેમાંથી અમુક પ્રમાણમાં અધ્યવસાયસ્થાને તેનાથી પૂર્વ યા પાશ્ચાત્ય સ્થિતિબન્ધમાં પણ હોય છે. એ રીતે એક વિવક્ષિત સ્થિતિ બન્યમાંના અમુક અનુભાગાધ્યવસાયસ્થાને ક્રમે ક્રમે ન્યૂનતાપણે કરી પલ્યોપમના સંખ્યતામાં ભાગ પ્રમાણ પૂર્વ યા પાશ્ચાત્ય સ્થિતિબન્ધ. સુધી હોય છે. પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનની અનન્તર પૂર્વ યા પાશ્ચાત્ય સ્થિતિસ્થાનમાં તે વિવક્ષિત સ્થિતિસ્થાનના અનુભાગાધ્યવસાય સ્થાનમાંથી એકપણ અનુભાગાધ્યવસાયસ્થાન હેતું નથી. ઉપરોક્ત અધ્યવસાયસ્થાનેનું ઉપરોકત રીતે હેવાપણું અમુક પ્રકૃતિ અંગે પૂર્વાનુમૂવીએ અને અમુક કર્મપ્રકૃતિ અંગે પશ્ચાનુપૂવએ હોય છે.
વિવક્ષિત સ્થિતિબન્ધમાંના જે અનુભાગાધ્યવસાયસ્થાનેનું પૂર્વ પાશ્ચાત્ય સ્થિતિસ્થામાં હોવાપણું કહ્યું તે અનુભાગાધ્યવસાયસ્થાન ઉપરાંત બીજા પણ અનુભાગાધ્યવસાયસ્થાને તે તે પૂર્વ યા પાશ્ચાત્ય સ્થિતિસ્થાનમાં હોય છે. માત્ર વિવક્ષિત સ્થિતિબન્ધમાંનાં જ અમુક અનુભાગાધ્યસાયસ્થાને હોય છે, એમ નહિં સમજવું.
એક જ સ્થિતિસ્થાનમાં અનુભાગાધ્યવસાયસ્થાન પૃથકુ પૃથફ હોવાનું કારણ લેશ્યા છે. લેશ્યાની તીવ્રતા મંદ--