SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ જૈન દર્શનને કર્મવાદ તાના હિસાબેજ અનુભાગ (રસ) બંધની તીવ્રતા મંદતા હોવાથી લેસ્થાનું સ્વરૂપ લક્ષમાં રાખવું અત્યંત આવશ્યક છે. કર્મબંધ સમયે થતા રસબંધની તીવ્રતા-મંદતાને ખ્યાલ, પિોતપોતામાં વર્તતી લેશ્યાને અનુસરે પિતે લક્ષમાં રાખી શકે છે. કષાયદયસહિત જે કૃષ્ણાદિ લેશ્યા રૂપ પરિણામ વિશેષ તે જ અનુભાગ(રસ)બમાં હેતુભૂત હેવાથી નવમા ગુણસ્થાનક સુધી જ લેશ્યા તે કર્મના સબંધમાં કારણભૂત થાય છે. ૧૦ મે ગુણસ્થાને વ્યક્ત સંકિલષ્ટતા નથી. ૧૧-૧૨-૧૩, એ ત્રણ ગુણસ્થાનકમાં ફકત ઈર્યાપથિકી કિયા છે, અને ફક્ત એક સમયને રૂક્ષ સાતવેદનીયને જ બંધ છે, તેથી ત્યાં રસબંધ નથી. કષાયની તારતમ્યતા પ્રમાણે - શૂલપણે છ લેશ્યા છે. સૂમપણે તે સ્થૂલપણે ગણાતી - દરેક લેયા વિવિધ પ્રકારની હોય છે. જુદા જુદા છે આશ્રયી એક સરખા કષાયદયથી વર્તતા રાગદ્વેષમાં સ્વસ્વભાવાનુસાર તે રાગદ્વેષને અંગે તે જ અનેક વિવિધ પરિણામવાળા હોય છે. તે વિવિધ પરિણામ શૂલપાણે છે વિભાગમાં કલ્પી શકાય છે. તે છ વિભાગ તે જ છ લેશ્યા છે. જે ભાવમાં હિંસાભાવની મુખ્યતાપૂર્વક પાંચ આસવમાં પ્રવૃત્તિ કરવી તે કૃષણલેશ્યાના પરિણામ છે. પુદ્ગલાસકિતની મુખ્યતાએ પાંચ ઈન્દ્રિયેના વિષયમાં લુખ્યપણું તે નીલ ગ્લેશ્યાનાં પરિણામ છે. જ્યાં વકતાની મુખ્યતાવાળા ભાવ વતે છે, તે કાપત લેશ્યાના પરિણામ છે.
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy