________________
પ્રકરણ ૭ મું
કર્મ પ્રકૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ, ઘાતી અને અઘાતીકમ –
જૈનદર્શનકારેએ કર્મશાસ્ત્રમાં કર્મપ્રકૃતિઓની અનેક અવસ્થાઓનું બારીક અને વીગતવાર વર્ણન કરેલ છે. કર્મના અસંખ્ય ભેદ હોવા છતાં પણ સંક્ષેપથી ખ્યાલમાં આવી શકે એટલા માટે અમુક વિશેષતાઓને લીધે તેને આઠ વિભાગ પાડ્યા છે, અને તે વિભાગના ઉત્તર વિભાગે પણ ૧૫૮ ની સંખ્યામાં દર્શાવ્યા છે. આત્માને સ્વભાવ દશામાંથી ભ્રષ્ટ કરી વિભાવદશામાં મુકનાર અને અનંતજ્ઞાનાદિ આત્માના સ્વાથ્યને રેપ કરનાર તે કર્મપ્રકૃતિની દરેક સંખ્યાને તેના સ્વભાવાનુસાર પૃથક–પૃથફ નામસંજ્ઞાઓ પણ આપેલી છે. આત્માના કેવા પ્રકારના સ્વાથ્યને કઈ પ્રકૃતિ કેવી રીતે કરે છે, તેને ખ્યાલ તે કર્મની નામસંજ્ઞા દ્વારા જ આત્માને પેદા થાય છે.
શારીરિક રંગેના ચિકિત્સક, શરીરમાં અશાંતિ પેદા કરનાર દઈને, તેને ખ્યાલ પેદા કરવા માટે, અમુક નામ સંજ્ઞાથી સંબોધે છે. અમુક દર્દીને એક સામાન્ય નામ તરીકે ગણીને તેના પેટાવિભાગ તરીકે પણ અનેક ભિન્ન