________________
કર્મપ્રકૃતિઓનું વિવિધ રીતે વગકરણ
૨૮૭ ભિન્ન સંજ્ઞાઓથી તેના પ્રકારો પાડે છે. જેમકે જવર (તાવ) એ એક દર્દનું સામાન્ય નામ છે, અને તેના પેટા વિભાગને ટાયફેડ આદિ પૃથક-પૃથક્ નામના જવર તરીકે ઓળખાવે છે. દર્દીનો ખ્યાલ પેદા કરવા માટે તેની અમુક તે નામસંજ્ઞા હોવી જ જોઈએ. એ રીતે કર્મ અંગે પણ સમજી લેવું જોઈએ. વૈદકશાસ્ત્રના અભ્યાસીઓ દર્દીના દર્દને અમુક પ્રકારની નામ સંજ્ઞાપૂર્વક ખ્યાલમાં લાવી, અમુક નામ સંજ્ઞાવાળા ઔષધોપચાર દ્વારા, તે દર્દીને દૂર કરવા કોશિષ કરે છે. અને એ દર્દીના કારણ તરીકે અમુક નામસંજ્ઞાવાળા કારણેને ફરી ઉપયોગ થઈ જવા ન પામે, તેની સાવચેતી રખાવે છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે, શારીરિક રોગની માફક, કર્મ, એ પણ આત્મામાં વિભાવદશારૂપ દર્દીને પેિદા કરનાર રોગ છે. માટે એ કર્મરૂપી રેગ, અને તેને નષ્ટ કરનાર ઔષધના દરેક પ્રકારની, પૃથ-પૃથક નામસંજ્ઞા જૈનદર્શનકારે એ સ્પષ્ટ જણાવી છે. પ્રથમ કહેવાઈ ગયેલ કર્મપ્રકૃતિઓની મૂળ નામ–સંજ્ઞાઓ આઠ, અને તેના પેટા વિભાગની ૧૫૮ નામ-સંજ્ઞાઓ આપેલી છે. પુનઃ એ મૂળ આઠ નામસંજ્ઞાવાળાં કર્મને (૧) ઘાતી અને (ર) અઘાતી, એ બે નામસંજ્ઞાપૂર્વક બે વિભાગમાં પણ દર્શાવ્યાં છે. આઠ નામસંજ્ઞાવાળા કર્મથી, આ બે નામ સંજ્ઞાવાળાં કર્મ કંઈ અન્ય નથી. પરમાર્થથી તે તેનાં તે જ છે, પરંતુ આઠ વિભાગમાં જ ગણી લઈ તેની ઘાતી અને અઘાતી એ બે નામસંજ્ઞાઓ આપેલી છે. એ રીતે અન્યાન્ય અપેક્ષાપૂર્વક હવે પછી બીજી નામ