SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિ બધ ૨૮૩: છે. તેમાં આપવાની ભાવના છતાં લેનાર ન મળે, તે વ્યવહારથી દાનાંતરાય, અને છતી શક્તિએ દાનનાં પિરણામ જ જાગે નહિ તેવી કૃપણુતા, ( કપિલાદાસીની જેમ ) તે નિશ્ચયથી દાનાંતરાય કહેવાય છે. દરિદ્રપણું' પ્રાપ્ત થવું, ધનહીનતા, ક`ગાલતા, દ્રષ્ય– પ્રાપ્તિ માટે થતા ઉદ્યમની નિષ્ફળતા, આ બધામાં વ્યવહારથી લાલાંતરાયના ઉદય કહેવાય છે, અને લાભ પ્રાપ્ત થવાના સ ́ચેાગામાં એચિંતુ વિઘ્ન થાય, દાતાર, આપવાની ભાવનાવાળા હાય, અને યાચક, યાચવામાં કુશળતાવાળા ગુણવાન હેાવા છતાં પણ, દાતાર પાસેથી દાન મેળવી શકે નહિ, તે ( ઢંઢણુમુનિ તથા ભગવાન ઋષભદેવની જેમ ) નિશ્ચયથી લાભાંતરાયકમ કહેવાય છે. એકવાર ભોગવ્યા બાદ ભોગને માટે નિરૂપયાગી થાય તેવા આહારાદિ પદાર્થાને ભોગ કહેવાય છે. આવી ભાગ સામગ્રીની પ્રાપ્તિ હાતે છતે પણ શારીરિક બીમારી આદિના કારણે તે પ્રાપ્ત સામગ્રી ભાગવી શકાય નહિ', તે વ્યવહારથી ભાગાંતરાય. અને મમ્મણ શેઠની માફક કૃપણુતાથી ભાગવી ન શકે તેમાં નિશ્ચયથી ભાગાંતરાય કમ કહેવાય છે. જે વસ્તુ વાર વાર ભેગવી શકાય તે વજ્રપાત્ર-સ્ત્રી. આફ્રિ ઉપભાગ સામગ્રીને અંગે ઉપભાગાંતરાય કમ, વ્યવહારથી અને નિશ્ર્ચયથી, ભાગાંતરાય કર્મીની માફક જ સમજવુ.
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy