SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૪ પ્રકૃતિ બંધ રક લબ્ધિના પ્રયોગ સમયે ચૌદપૂર્વ સાધુ મહાત્માને જ હોઈ શકે છે. આહારક લબ્ધિવાળા મુનિને વૈક્રિય લબ્ધિને પણ. સંભવ હોવા છતાં તે બંને લબ્ધિને ઉપગ એકી સાથે. થતું નથી. કેમકે વૈકિય શરીર વિકુવ્ય પછી અવશ્ય પ્રમ દશા, અને આહારક શરીર વિકુવ્ય પછી શુદ્ધ અધ્ય– વસાયને સંભવ હોવાથી અપ્રમત્ત ભાવ હોય છે. પ્રમત્તદશા અને અપ્રમત્તભાવ બને એક સાથે હાઈ નહીં શકવાથી, એને શરીરની વિકર્ણપણે એકી સાથે થઈ શકે નહીં. એટલે એકી સાથે તે વધુમાં વધુ ચાર શરીરે જ હોઈ શકે. એક કરતાં પણ વધુ શરીરેની સાથે જીવના. પ્રદેશને અખંડપણે સંબંધ, દીપકના પ્રકાશની જેમ ઘટી શકે છે. ઔદારિકશરીર જન્મસિદ્ધ જ છે. જન્મદ્વારા જે પેદા થાય તે જન્મસિદ્ધ કહેવાય. વૈકિય શરીર તે જન્મસિદ્ધ અને કૃત્રિમ એમ બે પ્રકારનાં હોય છે. કૃત્રિમ વક્રિયનું કારણ “લબ્ધિ છે. એક પ્રકારની તપજન્ય-- શક્તિને લબ્ધિ કહેવાય છે. લબ્ધિજન્ય વૈકિયશરીરના અધિકારી અમુક ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ જ હોઈ શકે છે. તજન્ય લબ્ધિ સિવાયની જન્મથી જ મળવાવાળી એક બીજી લબ્ધિ પણ, કૃત્રિમ વૈદિયના કારણુમાં કેટલાક બાદરવાયુકાય જીને માનવામાં આવેલી હેઈ, તે જેમાં પણ લબ્ધિજન્ય કૃત્રિમ વૈકિયશરીર હોઈ શકે છે. : - --* * * * * * * * * * * * *
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy