SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૫ પ્રકૃતિ બંધ જે કે વૈકિય અને આહારક શરીર પણ અપ્રતિઘાતી છે, પણ તે અને શરીરનું અપ્રતિઘાતીપણું લેકના ખાસ ભાગ ત્રસ નાડીમાં જ છે. જ્યારે તૈજસ અને કાશ્મણનું અપ્રતિઘાતીપણું સમગ્ર લેક પર્યત છે. ઔદારિકશરીર તે મનુષ્ય તથા તિર્યંચગતિના જીવોને, અને વૈકિયશરીર તે દેવ તથા નરકગતિને જીવેને તે તે ગતિમાં જન્મકાળથી લઈ મરણપર્યત હોય છે. આ બન્ને શરીર કાયમી રહી શકતાં નથી. સંસારી જીવ એક ભવ પૂર્ણ થયા બાદ, તે ભવધારણીય શરીરને ત્યજીને જ જાય છે. અને નવે ભવ કરવાના સ્થળે પહોંચતાં ત્યાં ભવધારણીય શરીરની રચના નવી કરે છે. આહારક શરીર તે એક સંપૂર્ણ ભવ પુરતું પણ નહીં હતાં અમુક ગ્યતાવાળા મનુષ્યને અમુક ટાઈમ પુરતું જ હોઈ શકે છે. તેજસ અને કાર્મણ શરીર તે સદાના માટે દરેક ગતિના જીવોને અનાદિ સંબંદ્ધવાળાં છે. સંસારી જીવ એક ભવમાંથી છુટી બીજા ભવમાં ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં ભવાંતરાલે પણ તૈજસ અને કાશ્મણ શરીરને સંબંધ તે ચાલુ જ હોય છે, પ્રવાહની અપેક્ષાએ આ બન્ને શરીરને સંબંધ પ્રત્યેક સંસારી જીવેને અનાદિકાળને છે. તેને અપચય અને ઉપચય થયા કરે છે, પરંતુ કોઈપણ સમયે સંસારી જીવની અવસ્થા આ બને શરીર રહિત તે હોતી * * - ". - * - -- * * * * * * * * * * * * * જ નથી. *- માન ત
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy