SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિ બંધ ૨૩૯ મીઠું, અનાજ, પાણી કે અન્ય કેઈ આહાર રૂપ પદાર્થના સાત ધાતુ રૂપે થતા પરિણમન કાર્યમાં આપણે વિચારવું પડશે કે, શરીરમાં પરિણામાન્તર કરનાર કોઈક પાક ક્રિયા છે. પકવવાની તાકાતવાળી ચીજ જ પરિણામાન્તર કરી શકે. જેમ અગ્નિમાં પકાવ્યા વિના માટીને ઘડો પાણીને ભરવા થઈ શકતો નથી, એવી રીતે પકવવાની તાકાતવાળી વસ્તુ વિના મૂળપદાર્થનું પરિપકવણું થઈ શકતું નથી. જે પકવવાની તાકાતવાળી ચીજ ન હોય તે શરીરમાં પડેલું મીઠું તે મીઠું જ રહે, માટી તે માટીપણે જ રહે. સંગ્રહણીને વ્યાધિ જેને થયું હોય તે ખોરાક લે છે, પણ પચાવી શકતું નથી. કેમકે દુન્યવી દષ્ટિએ કહેવાય છે કે તેની જઠરમાં અગ્નિનું જેર નથી. પકવવાની તાકાતવાળી ચીજ હોય, તે જ શરીરમાં ગયેલ આહાર પરિણામાન્તર પામે, અને સાત ધાતુ રૂપે પરિણમે. આવું પરિણામાન્તર કરનાર તેજ તૈજસ શરીર છે. લીધેલ ખેરાકને પકવદશામાં લાવવું, પરિણામાન્તર કરવું, તે કામ તેજસ શરીરનું છે. આ તેજસ શરીર તે વની સાથે વળગેલી ભઠ્ઠી છે. દરેક સંસારી જીવની સાથે તૈજસ ભઠ્ઠી રહે જ છે. જેમ અગ્નિને સ્વભાવ છે કે બળતણને પકડે છે, અને પિતે ટકે છે પણ બળતણથી જ. તેવી રીતે જીવની સાથે રહેલી તૈજસરૂપ ભઠ્ઠી ખેરાકને ખેંચે છે, અને ખેરાથી ટકે છે. આ તૈજસ શરીર પણ અનેક પ્રકારનું હોય છે. આપણને - - - - - * * *
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy