SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧ , ર જ છે ** ; + + + ૧૨૮ જૈન દર્શનને કર્મવાદ માનસિક બળ હેતું નથી. અને કેટલાંક પ્રાણિઓમાં શારીરિક બળ ઓછું હોવા છતાં પણ માનસિક શૌર્ય વિશેષ પણે દેખવામાં આવે છે. તેનું કારણ એ છે કે શારીરિક બળને આધાર આત્મિક બળના વિકાસ પર જ હોય છે. કેટલાંક દુબલાં પ્રાણિ જે નિર્બળ દેખાય છે, તે કયારેક કયારેક અસાધ્ય પુરૂષાર્થ કરી નાખે છે. તથા મોટા શરીર વાળા લેકે એક સાધારણ કાર્યમાં પણ અસફળ થાય છે. એજ આત્મિક બળના આધારને પ્રત્યક્ષ પુરાવે છે. શારીરિક બળની પ્રચુરતાવાળા કેટલાક મનુષ્ય ડરપોક અને મૂઢ પણ હોય છે. કેમકે તેમની પાસે આત્મવીર્યને પ્રગટ કરવાનું બળ હોતું નથી. તેથી સમજવું જોઈએ કે શારીરિક બળની પરીક્ષમાં આત્મિક બળ વીર્ય જ કામ કરે છે. આત્મા જ્યારે શરીરને ત્યાગ કરીને ચાલ્યા જાય છે, ત્યારે મજબુતમાં મજબુત શરીર પણ કાષ્ટની માફક થઈ પડ્યું રહે છે. એટલે સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે કે આત્મિક બળવીર્યના અભાવમાં શારીરિકબળ વ્યર્થ છે. શરીરગત પગલિકવીર્ય એ બ્રાહ્યવાય છે. બાહ્યવીર્ય એ આત્મિક વીર્યના બાહ્ય સાધનોમાંનું એક બાહ્ય સાધન છે. અર્થાત્ આત્મિક વીર્ય પ્રગટ હવામાં બાહ્યવિર્ય પણ સંબંધ ધરાવે છે. કેવળજ્ઞાની ભગવંતની જ્ઞાન– શક્તિથી પણ બે ભાગ થઈન શકે એવા અવિભાજ્ય વીર્યને એક ભાગ “અવિભાજ્ય વીર્ય” કહેવાય છે. એવા અનંત વીર્યઅવિભાગ” પ્રત્યેક આત્મામાં હોય છે. કેવલી
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy