________________
નથી.
+ +thir
‘૧૧૦
જૈન દર્શનને કર્મવાદ વાસ્તવિક શાંતિને અનુભવ કે ભૌતિક આવિષ્કારની પૂર્ણ સત્યતા કદાપી પ્રાપ્ત થવાની નથી.
સર જેમ્સન્સ નામે એક વૈજ્ઞાનિક લખે છે કેસાપેક્ષવાદ અને પરમાણુ વિભાજન જ વીસમી સદીના મહાન આવિષ્કાર નથી, પરંતુ “વસ્તુઓ આપણને જેવી દેખાય છે તેવી નથી” એ જ આ સદીને મહાન આવિકાર છે. સાથે સાથે સર્વમાન્ય વાત તે એ છે કે આપણે હજુ સુધી પરમ વાસ્તવિક્તાની પાસે પહોંચી શક્યા નથી.
આ રીતે પદાર્થનું પ્રાપ્તજ્ઞાન એ, કેવલ વૈજ્ઞાનિક દૃષ્ટિ કરતાં તત્વજ્ઞાનદષ્ટિ સાથે જ વિચારવામાં આવે, તેજ સ્વ અને પારને લાભદાયક છે.
તત્વજ્ઞાનની વાતને ફક્ત પાશ્ચાત્ય યા વિજ્ઞાનદષ્ટિએ જ જેનારા અને વિચારનારા કદાચ ન પણ સમજી શકે. વળી આજના અર્થ પ્રધાન યુગમાં કેવળ અંધશ્રદ્ધા રાખવી પણ ન પરવડે, તે પણ સમજવું જોઈએ કે કેટલીક વાતે એવી હોય છે કે, તેમાં એકલી તર્કબુદ્ધિ કામ આવતી નથી. એને માટે આંતરદષ્ટિ મેળવવી પડે છે.
આંતરદષ્ટિને અપ્રાપ્ત મનુષ્ય, પૃથ્વી ઉપર રહીને ત્રિલેકને જીતવાના પ્રયાસે કરતે આવ્યું છે. અને કેટલીક વાર કંઈક અંશે એને સફળતા પણ મળે છે. પરંતુ જગતને ઇતિહાસ કહે છે કે એ સફળતાની ભ્રમણનું જ્ઞાન માનવીને હંમેશાં પાછળથી થયું છે. આમ થવામાં તેને
*
*
*
*
* *