________________
તત્ત્વજ્ઞાન દ્વારા પદાર્થના મૌલિક તત્ત્વની સમજ
૧૦૯:
જ્ઞાનની ખેાજના અંત તે સ્વયં સત્યના અંશ છે. એટલે જ્યાં સુધી સત્ય છે ત્યાં સુધી તત્ત્વજ્ઞાન છે. અને જ્યાં સુધી તત્ત્વજ્ઞાન છે, ત્યાં સુધી સત્ય છે. તત્ત્વજ્ઞાન ત્રણેય કાળને માટે સદા અખાધ્ય જ છે. તેમાં શંકાને સ્થાન. છે જ નહિં. જુદા જુદા કાળક્રમે જુદા જુદા મગજના માણસે જુદી જુદી શેાધા અને પોતાના વિજ્ઞાનને ઉભાં કરે છે, પરંતુ વખત જતાં એ અદૃશ્ય થાય છે. અને તત્ત્વજ્ઞાન તા જગતમાં ચાલુ જ રહે છે. તત્ત્વજ્ઞાનમાં જડ, અને ચેતન બન્નેના ગુણ તથા પર્યાયનું સર્વાં ́ગી શેાધન છે. જ્યારે વિજ્ઞાનમાં પ્રાય; જડના જ ગુણ તથા પર્યાયનુ અને તે પણ અપૂર્ણ અને અનિશ્ચિત શેાધન છે. ચેતનના લક્ષ્ય વિનાના કેવળ જડપુદ્ગલના જ આવિષ્કાર અને તેના ઉપયાગ શુભ છેડાવાળા નથી. જીવનમાં ઉપયાગીતાની દૃષ્ટિએ તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાન બન્નેનુ સ્વતન્ત્ર મહત્ત્વ છે. અન્નય સત્યની મજિલ પર પહોંચવાના માર્ગ છે, પરંત તત્ત્વજ્ઞાનના વિકાસ મુખ્યત્વે આત્મવાદના રૂપમાં છે. તેનાથી મનુષ્યને ક્ષમા, સ ંતાષ, અહિં'સા, સત્ય, આદિની પ્રાપ્તિ થઈ છે. વિજ્ઞાનને વિકાસ આધિભૌતિકજ રહ્યો છે. વિજ્ઞાનથી’ મનુષ્યને ભૌતિક સામર્થ્યની જ પ્રાપ્તિ બહુ થઈ છે.
୯
#ગ
પરંતુ સમજવું જરૂરી છે કે ભૌતિક સામગ્રીથી મનુષ્ય ભલે આનંદથી જીવી શકે, ભૂતલમાં કે ગગનમાં વિચરવાના આનંદ મ્હાલી શકે, પરંતુ આધ્યાત્મિક અને નૈતિક સામર્થ્ય વિના કેવલ ભૌતિક સાધનાના ઢગલાઓથી