________________
પુદગલ વણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણ ૯૫ માની લીધેલ પરમાણુમાં એકત્રિત બની રહેલી એલેકટ્રોન આદિ સૂકમકણે પણ જૈન દર્શનની દષ્ટિએ તે અનંત પ્રદેશાત્મક સ્કંધ જ છે. વિજ્ઞાનને માન્ય સૂક્ષમણ કરતાં જૈન શાસ્ત્રમાં માન્ય પરમાણુની અને વ્યવહાર પરમાણુની (સૂમિ સ્ક) સૂક્ષમતા તે અનંતાનંત ગુણ છે. તે પ્રથમ વિચારેલ ળ વર્ગણામાંના કંધો તથા તે પ્રત્યેક ઔધોમાં સંમિશ્રિત બની રહેલ પરમાણુની દર્શાવેલ સંખ્યા ઉપરથી જ સમજી શકાય છે. વ્યવહાર પરમાણુ (સૂક્ષમ સ્કંધો) અને તેની અંદર અશ્રદ્ધા રાખનારે સમજવું જોઈએ કે જેના દર્શનને માન્ય પરમાણુ કરતાં, અનંતગુણ સ્થૂલ એવા વિજ્ઞાનિક પરમાણુની પણ કેટલી સૂક્ષ્મતા છે? - વિજ્ઞાન કહે છે કે પચાસ શંખ પરમાણુઓને ભાર ફક્ત અઢી તોલા લગભગ હોય છે. સીગારેટ લપેટવાના કાગળ અથવા પતંગી કાગળની જાડાઈ ઉપર એક પછી એક લાઈનસર ગોઠવવાથી એક લાખ પરમાણુ સમાઈ શકે. ધૂળના એક નાના કણમાં દશ પદ્દમથી પણ વધુ પરમાણુઓ હોય છે. એક ગ્લાસમાં સોડા–ટર ભરવા વખતે જે નાની નાની બુંદ (પરપોટી) થાય છે, તેમાંથી એક બુંદના પરમાણુએની ગણત્રી કરવા માટે સંસારના ત્રણ અરબ વ્યક્તિઓ ખાધા-પીધા સુવા વિના લગાતાર પ્રતિ મિનિટે ત્રણસોની સંખ્યા પ્રમાણુ પરમાણુઓ ગણતા જાય છે, તે બુંદના પરમાણુઓની સમસ્ત સંખ્યાને ગણવા વડે સમાપ્ત કરતાં ચાર મહિના લાગે. પાતળા વાળને ઉખેડતી વખતે તે