SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ જન દર્શનને કર્મવાદ વાળની જડ ઉપર લેહીની જે સૂમ બુંદ નીકળે છે, તેને અણુ વિક્ષણની તાકાતથી છ અગર સાત સાત વ્યાસ પ્રમાણે વધારી જોવામાં આવે તે, તે બુંદની અંદરના પરમાણુને વ્યાસ ૧–૧૦૦૦ ઈંચ જ હોઈ શકે છે. એક અધેળ જેટલા હાઈડેજનમાં ૧૬ ઉપર ર૪ મીંડાં સંખ્યા પ્રમાણ પરમાણુ હોય છે. હવે સ્કંધ અંગે વિચારીએ તે જૈનદર્શન અનુસાર પરમાણુની એકત્રિત અવરથા તે સ્કંધ છે. અમુક પરિમિત સંખ્યામાં જ એકત્રિત બની રહેલ પરમાણુસમુહને જ સ્કંધ કહી શકાય, એવું માની લેવાનું નથી. એકથી અધિક ગમે તેટલી સંખ્યા પ્રમાણુ પરમાણુને એકીભાવ તે સ્કંધ કહેવાય છે. દરેક કંધો સરખી સંખ્યા પ્રમાણે પરમાણુંવાળા જ હોય તેવું પણ નથી. એથી માંડી યાવત્ અનંત પરમાણુઓના એકીભાવરૂપ સ્કંધો વિવિધ પ્રકારના હોય છે. અને તે દરેક પ્રકારમાં અનંતા સ્કંધો હોય છે. વળી એવા વિવિધ ઔધોના એકરૂપ મિશ્રિત થવાથી પણ એક સ્વતંત્ર સ્કંધ કહેવાય છે. તેવી રીતે એક સ્કંધમાં એકીભાવ રૂપે સ્થગિત રહેલ પરમાણુ સમુહમાંથી એક કરતાં ગમે તેટલી સંખ્યામાં એકભાવ બની રહેલો અમુક પરમાણુ સમૂહરૂપ ટુકડો અલગ પડે તે પણ સ્વતંત્ર સ્કંધ કહે વાય છે. સ્કંધના વિષયમાં વિજ્ઞાનનું માનવું પણ આ રીતે જ છે. પરંતુ એક ધમાંથી તેડી તેડીને ટુકડા કરતાં કરતાં યાવત્ તે પદાર્થ સ્વરૂપમાં રહે ત્યાં સુધીના ટુકડાને
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy