SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. મારા મા-બાપ ત્યાં જઈ વિદ્યાધરોએ કરેલ અપહારથી માંડીને અત્યાર સુધીની મારી બધી હકીકત કહી દીધી. સાંભળતાં જ મા ગભરાઈ ગયા ને ઉતાવળે ઉતાવળે પાસેના ઓરડામાં મારા પિતા પાસે ગયા. કાનમાં ધીમે ધીમે કેટલાક અક્ષરો સારવ્યા. | મારા પિતા પણ આશ્ચર્યચકિત થઈ કકળી ઉઠ્યા,–“દેવી! જો નસીબ ! તારું કહ્યું માન્યા વિના મંત્રીઓના આગ્રહથી યુદ્ધશાંતિ માટે વજાયુદ્ધ સાથે મલયાને પરણાવવા ધારણા હતી. ધારણા હતી એટલું જ નહીં, પણ તેણે મોકલેલા પ્રધાનોને કાલે સવારે જ સગપણ કરવાનું મુહૂર્ત આપ્યું છે. વચ્ચે આ મુશ્કેલ આવી પડી હવે જો પ્રજાને વૈરિની પીડામાંથી બચાવવા ખાતર એમની સાથે પુત્રીનું લગ્ન કદાચ કરીશું તો, તે મૂળ તો પુરૂષષિણી હતી, ને આમ તેની ધારણાથી ઉલટું થતાં નહીં કદાચ શસ્ત્રથી કે ઝહેરથી, ગળેફાંસો ખાઈ કે ઉપવાસ કરી આપઘાત કરે તો ? અને અવશ્ય કરે જ. એનું એમ અનિષ્ટ થાય તો પછી જીવતાં સુધી મારે માથે આ કલંક ચડી ચૂક્યું જ. જો સગપણ ન કરૂં તો માંડમાંડ મનાવેલો શત્રુ વિફરશે, ને આજુબાજુના રાજ્યોમાં મને હોં દેખાડવા જેવું નહીં રહેવા દે. આ સ્થિતિ છે. મારું હૃદય કિંકર્તવ્યતામૂઢ થયું છે, ને તારા ઉપદેશની અપેક્ષા રાખે છે. બતાવ, આ વખતે હવે શું કરવું?” મારી માના મનમાં સહેજ આવી ગયું કે “આપને પહેલાં ના પાડી હતી, તોયે આપે માન્યું નહોતું.” એમ કહેવા જતી હતી પણ તે અટકાવી રાખી માધ્યસ્થ રીતે કહ્યું “દેવ ! ઉપદેશ
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy