SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૧ क्षेपः स्यान्मनसः क्रियान्तरगतिर्मुक्त्वा प्रवृत्तक्रियामासङ्गः प्रकृतक्रियारतिरतो दुर्लक्ष्यतोर्ध्वं पुनः ॥ तत्कालोचितवर्त्तनेऽरुचिरथो रागश्च कालान्तरकर्त्तव्येऽन्यमुदाहृयो निगदितो दोषः पुनः सप्तमः ॥ उच्छेदः सदनुष्ठिते रुगभिधो दोषोऽष्टमो गद्यते । ध्याने विघ्नकरा इमेष्ट मनसो दोषा विमोच्याः सदा ॥ ચિત્તના આઠ દાષા, ભાવા—કાઈ પણ ધાર્મિક અનુષ્ઠાનમાં ગ્લાનિ ઉત્પન્ન થાય તે ચિત્તને પ્રથમ દોષ. અનુષ્ઠાન કરતાં મનમાં ઉદ્વેગ રહ્યા કરે તે ખીજે દોષ. અનુષ્ઠાનના સ્વરૂપમાં બ્રાન્તિ હોય-કંધને બદલે કઈ કરે તે ત્રીજો ભ્રાન્તિ-દોષ. અનુષ્ઠાનમાં બેઠા પછી મનમાં ચપળતા રહ્યા કરે તે ઉત્થાન નામે ચેાથેા દોષ. ચાલતી ક્રિયાને પડતી મૂકી બીજી—બીજી ક્રિયામાં ચિત્તવૃત્તિ દોડ્યા કરે તે ક્ષેપ નામે પાંચમા દોષ. ચાલતી ક્રિયામાં મુંઝાઈ રહીને તેની પછીના અનુષ્તાનનુ લક્ષ ન રાખે અર્થાત્ ઉત્તર ક્રિયાની ઉપેક્ષા કરે તે આસંગ નામે છઠ્ઠો દેષ. ચાલુ અનુષ્ઠાનમાં અરૂચિ રાખીને કાલાન્તરમાં કરવાના અનુષ્ઠાન ઉપર રાગ રાખે તે અન્યમુદ્ નામે સાતમે। દેષ. સદનુષ્ઠાનનું ઉત્થાપન કરવું-ઉચ્છેદ કરવા તે રૂર્ નામે આઠમે ચિત્તને દેષ જાણવા. ચિત્તના એ આઠ દોષો ધ્યાનશ્રેણી ઉપર ચડવામાં વિઘ્ન કરનારા છે, માટે ધ્યાનના જિજ્ઞાસુએએ તે દેાષાને હમેશને માટે ત્યાગ કરવા. (૧૯૦-૧૯૧) વિવેચન—ધ્યાન એ ચિત્તના વિષય છે એટલે સૌથી પહેલાં ચિત્તરૂપી ક્ષેત્રને વિશુદ્ધ કરવું જોઇએ, એટલે કે તેને દાહિત કરવું જોઇએ. પતંજલિએ ચેાગશાસ્ત્રમાં ચિત્તની પાંચ અવસ્થાએ કહી છે અને હેમચંદ્રાચાયે ચાર અવસ્થાએ કહી છે. પાંચ અવસ્થાએ તે ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy