SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ સ્થા કરવામાં જોડાએલા છે તેઓ મૂગાં પશુઓને આશીર્વાદ ગ્રહણ કરે તેવી રીતે સ્વધર્મ બજાવે, તે તેઓ આપણી પાંજરાપેળાને પાશ્ચાત્ય દેશોને માટે પણ આદર્શ રૂપ બનાવી દે. (૯) पंचदश परिच्छेद. સેવાધમ : જ્ઞાતિની સેવા. [જ્ઞાતિ એ એક સામાજિક સ`સ્થા છે, એટલે જ્ઞાતિસેવા એ એક સમાજસેવાને જ પ્રકાર છે, પરન્તુ સમાજમાં જ્ઞાતિની સંસ્થાનું અતિત્વ કેવળ જૂદી કક્ષાનું હોવાથી જ અત્ર તેવી સંસ્થાનું પૃથક્ નિરૂપણ કરવામાં આવેલું છે. સૌથી પહેલાં જ્ઞાતિસેવાનું સામાન્ય નિરૂપણ કરતાં જ્ઞાતિની ઉપયોગિતા-તેના સખળતારૂપી ગુણ અને નિ`ળતારૂપી અવગુણુનુ કથન ગ્રંથકાર કરે છે અને એ રીતે જ્ઞાતિરૂપ સંસ્થાનું ઉપકારકપણુ` કેવી રીતનું છે તે દર્શાવે છે. ] ज्ञातिसत्काऽऽन्तरभेदपरिहारः | १०० || तुल्याचारकुटुम्बसंहतितया ज्ञातिः समारभ्यते । विस्तीर्णा हि यथा यथा भवति सा तस्या बलं स्यात्तथा।। सा भेदैर्यदि खण्डिता बहुविधेः क्लेशावहा स्यात्तदा । तस्मादान्तरभेदखेदहरणे यत्तो विधेयः परः ॥ જ્ઞાતિની સેવા. ભાવા —સરખા આચારવાળા અને સરખા રીતિરવાજવાળા કુટુંબના જોડાણથી જ્ઞાતિની રચના થાય છે. તે કુટુબેને સમૂહ જેટલે મોટા હોય અર્થાત્ જ્ઞાતિ જેટલી વિશાળ હોય તેટલે અંશે તે જ્ઞાતિનું ખળ વધારે ગણાય. બળવાન જ્ઞાતિ પેાતાનું અને પરનું રક્ષણ કરી શકે છે પણ જ્યારે એક વિશાળ જ્ઞાતિમાં નાના નાના વિભાગ પડવા માંડે છે એટલે જ્ઞાતિ ખંડિત થાય છે, ત્યારે તેનું બળ તૂટવાથી તેને અનેક પ્રકારના ક્લેશમાં
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy