________________
૧૪૦ થાય છે, માટે બુધજને એ પ્રમાણે ચિતમાં વિચાર કરી પવિત્ર જનમતમાં રત થાય છે.
પ્રકરણ ૧૪ મું.
દેવ નિરૂપણ. यत्साति हन्ति जनयति रजस्तमःसत्त्वगुणयुतं विश्वं । तद्धरिशंकरविधिवद्विजयतु जगत्यां सदा कर्म ॥ ३४३ ॥
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની માફક જે રજસ–તમમ્ અને સત્વગુણ યુક્ત વિશ્વની ઉત્પત્તિ રક્ષણ અને પ્રલય કરનારૂં છે તે કર્મ જગતમાં સદા જ્યવંતુ વર્તે. भवितत्यता विधाता कालो नियतिः पुराकृतं कर्म । वेधा विधिस्वभावो भाग्यं दैवस्य नामानि ॥ ३४४ ॥ .
ભવિતવ્યતા, વિધાતા, કાલ, નિયતિ, પુર્વ કીધેલું કર્મ, વેધા, વિધિસ્વભાવ અને ભાગ્ય એ સર્વે કર્મનામક દેવનાં નામે છે यत्सौरव्यदुःखजनकं प्राणभृता संचितं पुरा कर्म । स्मरति पुनरिदानीं तदैवं मुनिभिराख्यातं ॥ ३४५ ॥
પુર્વ ભવમાં પ્રાણીઓ સંચિત કરેલું તથા સુખ અને દુઃખ જનક જે કર્મ તેને આ ભવમાં જે સ્મરણમાં લાવે છે, તેને મુનિજને દેવ કહે છે.