________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
વિનયી મુનિને નિહાળી હર્ષથી ભીની બની, તો એ વિનયી ને તપસ્વી મુનિના નયનો પણ પોતાના ગુરુદેવના દરેક વચનોને સાદર સ્વીકૃત કરીને સાકાર કર્યાના આનંદથી ઉભરાઈ ઉઠ્યા. એ તપસ્વી મુનિરાજ, એટલે .! અને એ પ્રભાવક ગીતાર્થ ગુરુદેવ
એટલે પૂજ્યપાદ યુગદિવાકર આચાર્યદેવ શ્રીમદ્વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ. આ મુનિરાજની અન્ય પણ કેટલીક વિશેષતાઓને નીહાળી લઈએ × વય વધવા છતાંય આ ભોળા-ભદ્રિક મુનિરાજ ભાવનામાં સતત આગળ રહેતા. * મહાનિશીથ આગમસૂત્રયોગમાં દરેક (બાવન) આયંબિલ માત્ર એક જ દ્રવ્ય (તુવેરની દાળ) દ્વારા કર્યા હતા. * કોઈ વિશેષ તપ ન ચાલતો હોય ત્યારે વર્ધમાનતપની ઓળીઓ કરતા રહેતા. શરીરે સાથ આપ્યો ત્યાં સુધીમાં ૬૮ વર્ધમાનતપની ઓળીઓ કરી. * તપમાં આગળ રહેતા આ મુનિભગવંત શ્રમણોની વૈયાવચ્ચમાં ય અગ્રેસર રહેતા.* ગોચરીમાં ય આ મુનિરાજ સારા ખપી બની રહેતા. ક્યારેક મહાત્માઓને ગોચરી વધુ પ્રમાણમાં વધી જાય તો એ બધી જ ગોચરી પોતે ખપાવવા લઈ લેતા. ને પછી બીજે જ દિવસથી છટ્ઠ-આઠમ આદિના પચ્ચક્ખાણ કરી લેતા. * ઘણીવાર એકાશનાદિ માત્ર પયસ, ચટિકા વગેરે એક-એક દ્રવ્યથી કરી લેતા. * પ્રતિદિન પોતાની ગોચરી લાવીને સાથેના મહાત્માઓને તેનો લાભ આપવા ભાવભરી વિનંતિ કરતા. સાથેના મહાત્માઓ ક્યારેક બધી જ ગોચરીનો લાભ આપે તો ખૂબ આનંદ અનુભવતા, તો ક્યારેક મહાત્માઓ જરા પણ લાભ ન આપે તો એ ગોચરી સ્વયં ખપાવવાની ય તૈયારી રાખતા. * વિ.સં. ૨૦૪૯માં અમદાવાદ મુકામે બધી જ આરાધનાઓના સરવૈયાં રૂપે સમાધિમૃત્યુને પામ્યા હતા.
જે અચલ છે.
દીક્ષાપર્યાય ૨૬ વર્ષ !
ઉંમર ૮૨ વર્ષ !
એટલે કે ૫૬ વર્ષની મોટી ઉંમરે દીક્ષા !
છતાં એમણે કરેલી આરાધના તરફ જરાક નજર તો કરીએ.
* કુલ ૨૭ માસક્ષમણ કર્યા છે. જેમાં ૫૬, ૬૦, ૬૧ ઉપવાસની પણ આરાધના કરી છે. * ૯૫મી ઓળી ચાલુ છે.
* ૮૯મી ઓળીમાં છેલ્લે ૭ દિવસ બાકી હતા, અને માસક્ષમણ શરુ કર્યુ, માસક્ષમણના પારણે ૯૦મી ઓળી ચાલુ જ રાખી. છેલ્લા ત્રીસ દિવસ બાકી હતા, ત્યારે ફરી માસક્ષમણ કરી પારણું કર્યું.
૩૧