________________
સાંસારિક પ્રચૂર વૈભવ તરફ તેમની રૂચિ દષ્ટિગોચર થતી ન હતી, પરંતુ તેઓ વીતરાગવાણીના સંસર્ગથી વિષયવિમુખ ધર્મકાર્યમાં સદા તત્પર અને તલ્લીન દેખાતા હતા. ખાસ પરિચયના અભાવે પણ તેમની વિરાગ્ય ધારાથી તેમની ધર્માનુરાગીતા તથા જીવનચર્યાથી કઠિન કાર્ય કરવામાં પણ ગભરાટના સ્થાને સુખાનુભવની વૃત્તિ લક્ષમાં આવતી હતી,
શ્રી વિનેદમુનિના જીવનના બે પ્રશ્નને ઉપસ્થિત થાય છે તેને ખુલાસે કરવામાં આવે છે.
પ્ર. ૧. તેમણે આજ્ઞા વગર સ્વયમેવ દીક્ષા કેમ લીધી ?
ઉત્તર – પાંચમા આરાના ભદ્રા શેઠાણીના પુત્ર એવંતા (અતિ મુક્ત) કુમારને તેની માતુશ્રીએ દીક્ષાની આજ્ઞા આપવાની તદ્દન ને પાડી એટલે તેણે સ્વયમેવ દીક્ષા લીધી. ત્યારબાદ ભદ્રા શેઠાણીએ પિતાના કુમારને ગુરુને સેંપી દીધા. તે જ રાત્રે તેણે બારમી ભિખુની પડિમા અંગીકાર કરી અને શિયાળણીના પરિષહથી કાળ કરી નલીનગુલમ વિમાનમાં ગયા તેવી જ રીતે શ્રી વિનોદકુમાર સ્વયં દીક્ષિત થયા.
પ્ર. ૨. આવા વિરાગી જીવને આ ભયંકર પરિષહ કેમ આવે?
ઉત્તર- કેટલાક ચરમ શરીરી જીવને મારણાંતિક ઉપસર્ગ આવેલ છે. જુઓ ગજસુકુમાર મુનિ, મેતારજ મુનિ, કેશલ મુનિ, કારણ કે તેમની સત્તામાં હજારો ભવનાં કર્મ હાવા જોઈએ, ત્યારે તેમને એકદમ મેક્ષ જવું હતું. તે મારણાંતિક ઉપસર્ગ આવ્યા વગર એટલાં બધાં કર્મ કેવી રીતે ખપે? બા. બ્ર. શ્રી વિનેદમુનિને આ પરિષહ આવ્યું, જે ઉપરથી એમ અનુમાન થાય છે કે તે એકાવતારી જીવ હેય.
વિનોદમુનિનું વિસ્તૃત જીવનચરિત્ર જુદા પુસ્તકથી ગુજરાતી ભાષા તથા હિન્દી ભાષામાં છપાયેલ છે. તેમાંથી અહીં સાર રૂપે સંક્ષેપ કરેલ છે.