SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ મુલાકાત લીધી હોવા છતાં તેઓને રમણીય સ્થળ કે રમણીય યુવતીઓનું આકષર્ણ થયું નહીં, એ એના પૂર્વભવનાં ધાર્મિક સંસ્કારને રંગ હતો અને એ રંગે જ તેમને તે બધું ન ગમ્યું અને તુરત વતન પાછા ફર્યા અને સાધુ-સાધ્વીજીનાં દર્શન કરવા ઠેકઠેકાણે ગયા અને તેમના ઉપદેશનો લાભ લીધો અને ઢૌરાગ્યમાં જ મન લાગ્યું. હુંડા ચોવીસીના પાંચમા આરાનું વિચિત્ર વાતાવરણ જોઈ તેમને કંઈક ક્ષોભ થતું કે તરત જ તેને ખુલાસો મેળવી લેતા અને ત્યાગ ભાવમાં સ્થિર રહેતા. દેશ પરદેશમાં પણ સામાયિક, પ્રતિક્રમણ, ચેવિહાર આદિ પચ્ચક્ખાણ તેઓ ચૂક્યા નહીં. ઊંચી કેટિની શયાને ત્યાગ કરી તેઓ સૂવા માટે માત્ર એક શેતરંજી, એક ઓશીકું અને ઓઢવા માટે એક ચાદર ફક્ત વાપરતા અને પલંગ ઉપર નહીં પણ ભૂમિ પર જ શયન કરતા અને પહેરવા માટે એક ખાદીને લેશે અને ઝબો વાપરતા. કઈ વખતે કબજે પહેરતાં. બહુ ઠંડી હોય તે વખતે સાદ ગરમ કેટ પહેરી લેતા અને મુહપત્તિ, પાથરણું, રજોહરણ અને બે ચાર ધાર્મિક પુસ્તકની ની સાથે રાખતા. સંડાસમાં નહીં પણ જંગલમાં એકાંત જગ્યામાં ઘણે ભાગે શરીરની અશુચિ દૂર કરવા જતા, હાલતાં, ચાલતાં, સંડાસ અને પેશાબ સંબંધીમાં જીવદયાની બરાબર જતના કરતા. દેશમાં કે પરદેશમાં જ્યારે તેમને કેઈની સાથે મળવાનું થતું ત્યારે તેમની સાથે અહિંસામય જૈન ધર્મનું સ્વરૂપ પ્રગટ કર્યા વગર રહેતા નહીં. દીક્ષાર્થીઓને જલદી દીક્ષા લેવાની પ્રેરણા કરતા અને એમ જ કહેતા કે અંદગીને કોઈ ભરોસો નથી. “અસંખયું છવિય મા પમાયએ? આયુષ્ય તૂટતાં વાર લાગતી નથી, જીવન તૂટયું સંધાતું નથી માટે ધર્મકરણીમાં સમયમાત્રને પ્રમાદ ન કર જોઈએ. ગોંડલ સંપ્રદાયના ઘણાખરા પૂ. મુનિવર અને પૂ. મહાસતીજી એને તથા બેટાદ સંપ્રદાયના પૂ. આચાર્ય શ્રી માણેકચંદજી મહારાજ
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy