SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ નથી૮ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૪ શબ્દાર્થ : (૧) ઉપરોક્ત ખરાબ શિક્ષાને ઉપસર્ગ પ્રાપ્ત થયે (૨) મૂર્ણ પુરુષ (૩) સંયમ પાલનમાં દુઃખ અનુભવે છે. (૪) ભાર-વજનથી પીડિત (૫) ગર્દભની માફક (૬) જેમ અગ્નિ આદિને ઉપદ્રવ થતાં ભયભીત થઈ (૭) લાકડીના ટુકડાની સહાયથી ચાલવાવાળે પગે લુલે પુરુષ તેની માફક (૮) પાછળ રહે છે (૯) ભાગ્યા જતાં લોકોની પાછળ પાછળ ચાલતા થકા મૂર્ખપુરુષ સંયમ પાલનમાં સર્વથી પાછળ રહી જાય છે. ભાવાર્થ:- મિથ્યાત્વ દૃષ્ટિઓની પૂર્વોકત વાતને સાંભળી, કઈ મૂર્ખ સાધક, સંયમપાલન કરવામાં શિથિલ બનીને એ પ્રકારે દુઃખને અનુભવ કરે છે. કે જેમ ભારથી–વજનથી પીડિત ગર્દભ ભારને લઈ ચાલવામાં દુઃખ અનુભવે છે ! અથવા લાકડીના ટુકડાને હાથમાં લઈ ચાલવાવાળો લંગડો પુરુષ અગ્નિ આદિના ભયથી ભાગતા મનુષ્યની પાછળ પાછળ જાય છે. પરંતુ આગળ જવા અસમર્થ બની નાશને પામે છે. એ પ્રકારે સંયમપાલન કરવામાં દુઃખ અનુભવ કરવાવાળા શિથિલ સાધકે મોક્ષ સુધી નહિ પહોંચતા જન્મ મરણ રૂપ દુઃખોને ભેગવતા થકા સંસારમાં જ પરિભ્રમણ કરતા રહે છે. इहमेगे उ भासंति, सात सातेण विज्जती । જો તરી આવે , જ સાuિ () ૬ | શબ્દાર્થ (૧) એક્ષપ્રાપ્તિના વિષયમાં (૨) કોઈ કહે છે કે (૩) સુખથી (૪) સુખ પ્રાપ્ત થાય છે (૫) પરંતુ તે મૂર્ખ છે કારણ કે (૬) મોક્ષવિષયમાં તીર્થંકર પ્રતિપાદિત જે જ્ઞાન દર્શન તથા (૭) ચારિત્ર્યરૂપ (૮) જે મોક્ષમાર્ગ છે તેને તો તેઓ છોડી દે છે (૯) પરમશાંતિને (૧૦) આપનાર. | ભાવાર્થ – કોઇ મિથ્યાત્વ દષ્ટિ મોક્ષમાર્ગ સંબંધમાં એમ કહે છે કે આ સંસારમાં અહીં સુખ ભોગવીએ તો પરભવમાં સુખ પામીએ પરંતુ તે મૂખ જેવો સમજતા નથી કે પરમ શાન્તિને આપનાર તે શ્રી તીર્થંકર પરૂપિત જે જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy