SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ઉ૦ ૨ જોઈએ. દેહ મમત્વ છૂટયા વિના પરિષહે સહન કરવા મુશ્કેલ બને. એમ જાણી આત્માથી સાધકે દેહ મમત્વ રાખવું નહિ. દેહને અન્ય દ્રવ્ય જાણી સંયમપાલન કરવું. उवणीयतरस्स ताइणो, भयमाणस्स विविक मासणं । सामाइय माहु तस्स, जं जो अप्पाण भए ण दसए ॥१७॥ १० ११ १३. १२ શબ્દાર્થ ઃ (૧) જ્ઞાન સમીપ પહોંચેલ (૨) સ્વપરને રક્ષક સ્ત્રી પુરુષ (૩) નપુંસક રહિત (૪) શયન આસન (૫) સેવનાર (૬) મુનિના ચારિત્રને (૭) સામાયિકચારિત્ર (૮) કહેલ છે (૯) ચારિત્રવાન સાધકે (૧૦) પિતાના આત્માને (૧૧) ભય (૧૨) પ્રદર્શિત (૧૩) નહિ કરો. ભાવાર્થ – જે સાધક આત્માએ, પિતાના આત્માને અતિ શયરૂપથી જ્ઞાનમાં સ્થાપિત કરેલ હોય અને પોતાના તથા અન્યના આત્માના રક્ષણ કરવામાં સમર્થ હોય, એટલે છકાય જીના રક્ષક હાય, સ્ત્રી, પુરુષ, નપુંસક રહિત સ્થાનમાં નિવાસ કરતા હોય એવા મુનિના ચારિત્રને શ્રી તીર્થંકરદેએ સમભાવરૂપ સામાયિકચારિત્ર કહેલ છે. એમ જાણુ મુનિ પરીષહ ઉપસર્ગ પ્રાપ્ત થતા ભયભીત ન બને અને પિતાના સ્વભાવમાં સ્થિત રહી, સંયમનું પાલન કરે આવા પ્રકારને સાધકને આચાર જાણે તેનું સમ્યક્રપ્રકારે પાલન કરે. उसिणोदग तत्तभोइणो, धमट्ठियस्स मुणिस्स हीमतो। संसग्गि असाहु राइहिं, असमाहीउ तहागयस्स वि ॥१८॥ ૧૨ શબ્દાર્થ : (૧) ગરમ (૨) પ્રાણ (૩) ઠંડું કર્યા વિના (૪) પીવાવાળા (૫) ધર્મમાં સ્થિત (૬) મુનિ (૭) લજજાવાનને (૮) સંગ (૯) રાજા આદિને (૧૦) શ્રેય નથી (૧૧) અસમાધિ ઉત્પન્ન કરાવનાર (૧૨) શાસ્ત્રોકત આચાર પાળવાવાળાને.
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy