SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ કાયયોગ હોય તેવું બોલવું તે સત્યાસત્યવચનયોગ. દા.ત. “જીવ છે, જીવ અનિત્ય છે' એમ બોલવું. (૪) અસત્યામૃષાવચનયોગ - જેમાં સાચું પણ ન હોય અને ખોટું પણ ન હોય તેવું બોલવું તે અસત્યામૃષાવચનયોગ. દા.ત. “ઘડો લાવ, તપ કર” એમ બોલવું. ૩) કાયયોગ - ઔદારિક વગેરે શરીર યોગ્ય વર્ગણાના પુદ્ગલોના આલંબનથી જીવના જે વીર્યનો ઉપયોગ થાય તે કાયયોગ. તેના સાત પ્રકાર છે - (૧) દારિકકાયયોગ - ઔદારિક શરીરથી થતી પ્રવૃત્તિ તે ઔદારિકકાયયોગ. (૨) વૈક્રિયકાયયોગ-વૈક્રિય શરીરથી થતી પ્રવૃત્તિ તે વૈક્રિયકાયયોગ. (૩) આહારકકાયયોગ - આહારક શરીરથી થતી પ્રવૃત્તિ તે આહારકકાયયોગ. (૪) ઔદારિકમિશ્રકાયયોગ - ઔદારિક શરીર ન બને ત્યાં સુધી ઔદારિક અને કાર્મણ પુદ્ગલોની અથવા વૈક્રિય અને ઔદારિક પુગલોની અથવા આહારક અને ઔદારિક પુગલોની ભેગી પ્રવૃત્તિ તે ઔદારિકમિશ્રકાયયોગ. (૫) વૈક્રિયમિશ્ર કાયયોગ - વૈક્રિય શરીર ન બને ત્યાં સુધી વૈક્રિય અને કાશ્મણ પુગલોની અથવા વૈક્રિય અને ઔદારિક પુદ્ગલોની ભેગી પ્રવૃત્તિ તે વૈક્રિયમિશકાયયોગ. (૬) આહારકમિશકાયયોગ - આહારક શરીર ન બને ત્યાં સુધી આહારક અને ઔદારિક પુદ્ગલોની ભેગી પ્રવૃત્તિ તે આહારકમિશ્રકાયયોગ. (૭) કાર્મણકાયયોગ - તૈજસ અને કાર્મણ શરીરથી થતી પ્રવૃત્તિ તે કાર્મણકાયયોગ.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy