SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ - ચોગ પ્રકરણ યોગ-મનોવર્ગણાનાપુદગલો, ભાષાવર્ગણાના પુદગલો અને ઔદારિક વગેરે શરીર યોગ્ય વર્ગણાના પુદ્ગલોના આલંબનથી જીવના જે વીર્યનો ઉપયોગ થાય તે યોગ. ટૂંકમાં, મન-વચન-કાયાની પ્રવૃત્તિ તે યોગ. તેના ત્રણ પ્રકાર છે – ૧) મનોયોગ - મનોવર્ગણાના પુગલોના આલંબનથી જીવના જે વીર્યનો ઉપયોગ થાય તે મનોયોગ. તેના ચાર પ્રકાર છે – (૧) સત્યમનોયોગ - સાચું વિચારવું તે સત્યમનોયોગ. દા.ત. “જીવ છે” એમ વિચારવું. (૨) અસત્યમનોયોગ - ખોટું વિચારવું તે અસત્યમનોયોગ. દા.ત. જીવ નથી' એમ વિચારવું. (૩) સત્યાસત્યમનોયોગ - જેમાં સાચું પણ હોય અને ખોટું પણ હોય તેવું વિચારવું તે સત્યાસત્યમનોયોગ. દા.ત. “જીવ છે, જીવ અનિત્ય છે' એમ વિચારવું. (૪) અસત્યામૃષામનોયોગ - જેમાં સાચું પણ ન હોય અને ખોટું પણ ન હોય તેવું વિચારવું તે અસત્યામૃષામનોયોગ. દા.ત. “ઘડો લાવવો જોઈએ, તપ કરવો જોઈએ એમ વિચારવું. ૨) વચનયોગ - ભાષાવર્ગણાના પુદ્ગલોના આલંબનથી જીવના જે વીર્યનો ઉપયોગ થાય તે વચનયોગ. તેના ચાર પ્રકાર છે – (૧) સત્યવચનયોગ - સાચું બોલવું તે સત્યવચનયોગ. દા.ત. જીવ છે” એમ બોલવું. (૨) અસત્યવચનયોગ - ખોટું બોલવું તે અસત્યવચનયોગ. દા.ત. “જીવ નથી' એમ બોલવું. (૩) સત્યાસત્યવચનયોગ - જેમાં સાચું પણ હોય અને ખોટું પણ
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy