SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શનવિનય, ચારિત્રવિનય, ઔપચારિકવિનય ૩૭૫ (૨) નિષ્કાંક્ષિતપણું - અન્ય ધર્મની ઇચ્છા ન કરવી તે. (૩) નિર્વિચિકિત્સા - ધર્મના ફળમાં શંકા ન કરવી તે. (૪) અમૂઢદેષ્ટિ - કુતીર્થિકોના તપ, વિદ્યા, અતિશય વગેરે ઋદ્ધિ જોવા છતા મુંઝાવું નહીં તે. (૫) ઉપબૃહણા - સાધર્મિકોના ગુણોની અનુમોદના કરવી તે. (૯) સ્થિરીકરણ - જૈનધર્મમાં સીદાતા જીવોને જૈન ધર્મમાં સ્થિર કરવા તે. (૭) વાત્સલ્ય - સાધર્મિકને ભોજન, વસ્ત્ર વગેરેનું સન્માનપૂર્વક દાન કરવું તે. (૮) પ્રભાવના - ધર્મકથા, પ્રતિવાદીનો જય, દુષ્કર તપારાધના વગેરેથી જૈનધર્મની પ્રભાવના કરવી તે. (૩) ચારિત્રવિનય - ચારિત્રના સ્વરૂપની શ્રદ્ધા કરવી, વિધિપૂર્વક તેનું આચરણ કરવું અને પ્રરૂપણા કરવી, ૮ પ્રકારનો ચારિત્રાચાર તે ચારિત્રવિનય. તેના ૫ ભેદ છે - (૧) સામાયિકવિનય (૨) છેદો પસ્થાપનીયવિનય (૩) પરિહારવિશુદ્ધિવિનય (૪) સૂક્ષ્મસંપરાયવિનય (૫) યથાખ્યાતવિનય. પાંચ પ્રકારનું ચારિત્ર આગળ (પાના નં. ૪૦૪-૪૦૬ ઉપર) બતાવાશે. ૮પ્રકારનો ચારિત્રાચાર - ચિત્તની સ્વસ્થતાપૂર્વક મન-વચન-કાયાના વ્યાપારથી પાંચ સમિતિ અને ત્રણ ગુતિનું પાલન કરવું તે. (૪) ઔપચારિકવિનય - ઉપચાર એટલે શ્રદ્ધાપૂર્વકની ક્રિયારૂપ વ્યવહાર. તદુંરૂપ વિનય તે ઔપચારિકવિનય. તેના અનેક પ્રકાર છે. દા.ત. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વગેરે ગુણોથી અધિક એવા સાધુ ભગવંતો આવે તો ઊભા થવું, તેમને આસન આપવું, વંદન કરવા, જાય ત્યારે વળાવા જવું વગેરે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy