SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ આર્જવ, શૌચ, સત્ય, સંયમ ૩૬૩ (i) પારિણામિકી - પૂર્વાપરના અનુભવથી અથવા વયના પરિપાક વગેરેથી ઉત્પન્ન થતી બુદ્ધિ તે પારિણામિકી બુદ્ધિ. દા.ત. અભયકુમારની બુદ્ધિ. (૬) શ્રતમદ - શ્રુત એટલે ભગવાને કહેલ આગમ. તે ભણ્યા પછી તેનું માન કરે તે શ્રતમદ. (૭) લાભમદ - રાજા, મિત્ર, નોકર, સ્વજનો વગેરે પાસેથી સત્કારસન્માન વગેરે વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થવી તે લાભ. લાભનું માન તે લાભમદ. (૮) વીર્યમદ - વીઆંતરાય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતું બળ તે વીર્ય. તેનું માન તે વીર્યમદ. આ આઠ મદસ્થાનોનો નિગ્રહ કરવો તે માર્દવ. ૩) આર્જવ - આર્જવ એટલે માયાનો અભાવ, સરળતા, ભાવની વિશુદ્ધિ, વિસંવાદનો અભાવ. ૪) શૌચ - શૌચ એટલે લોભનો અભાવ. ૫) સત્ય - કઠોરતા વિનાનું, ચાડી નહીં ખાનારું, અસભ્યતા વિનાનું, ચપળતા વિનાનું, સંદેહ વિનાનું, સ્પષ્ટ, ઉદારતાવાળું, ગામળીયું નહીં, વિવક્ષિત પદાર્થને કહેનારું, લંબાણ વિનાનું, રાગ-દ્વેષ વિનાનું, સૂત્રના માર્ગને અનુસારી અર્થવાળુ, પ્રસ્તુત અર્થવાળુ, માયારહિત, દેશ-કાળને ઉચિત, નિરવદ્ય, જિનશાસનમાં અનુજ્ઞા અપાયેલ, પ્રયત્નપૂર્વકનું, પરિમિત એવું – યાચના કરવાનું, પૂછવાનું, જવાબ આપવાનું વગેરે વચન તે સત્ય. ૬) સંયમ - મન-વચન-કાયાના યોગોનો નિગ્રહ કરવો તે સંયમ. તેના ૧૭ ભેદ છે –
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy