SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ " સંસ્થાનનામકર્મ (૫) કાર્મણસંઘાતનામકર્મ - ગ્રહણ કરેલા કાર્મણ પુદ્ગલોની જે કર્મના ઉદયથી વિશેષ રચના થાય તે કાર્યણસંઘાતનામકર્મ. (૭) સંસ્થાનનામકર્મ- જે કર્મના ઉદયથી જીવના શરીરનો તે તે પ્રકારનો આકાર બને તે સંસ્થાનનામકર્મ તેના ૬ ભેદ છે – (૧) સમચતુરગ્નસંસ્થાનનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં સમચતુરગ્નસંસ્થાનની પ્રાપ્તિ થાય તે સમચતુરગ્નસંસ્થાનનામકર્મ. (૨) ન્યગ્રોધસંસ્થાનનામકર્મ- જે કર્મના ઉદયથી જીવના શરીરમાં વગ્રોધસંસ્થાનની પ્રાપ્તિ થાય તે ન્યગ્રોધસંસ્થાનનામકર્મ. (૩) સાદિસંસ્થાનનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં સાદિસંસ્થાનની પ્રાપ્તિ થાય તે સાદિસંસ્થાનનામકર્મ. (૪) કુબ્બસંસ્થાનનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં કુન્નસંસ્થાનની પ્રાપ્તિ થાય તે કુન્નસંસ્થાનનામકર્મ. (૫) વામનસંસ્થાનનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં વામન સંસ્થાનની પ્રાપ્તિ થાય તે વામન સંસ્થાનનામકર્મ. (૬) હુડકસંસ્થાનનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં હુડકસંસ્થાનની પ્રાપ્તિ થાય તે હુડકસંસ્થાનનામકર્મ. સંસ્થાનોની વ્યાખ્યા પૂર્વે (પાના નં. ૨૩૦, ૨૩૧ ઉપર) કરી છે. (૮) સંઘયણનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં તે તે સંઘયણની પ્રાપ્તિ થાય તે સંઘયણનામકર્મ. તેના ૬ ભેદ છે – (૧) વજઋષભનારાચસંઘયણનામકર્મ- જે કર્મના ઉદયથી જીવના શરીરમાં વજઋષભનારાચસંઘયણની પ્રાપ્તિ થાય તે વજઋષભનારાચસંઘયણનામકર્મ.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy