SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમા અને આઠમા વ્રતના અતિચાર ૩૦૩ ૮) ઉપભોગપરિભોગવ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૩૦) (૧) સચિત્તાવાર - સચિત્તનો આહાર કરવો તે. (૨) સચિત્તસંબદ્ધઆહાર - સચિત્તની સાથે સંબદ્ધનો આહાર કરવો. તે. (૩) સચિત્તસંમિશ્રઆહાર - સચિત્તની સાથે સંમિશ્ર વસ્તુનો આહાર કરવો તે. દા.ત. દાડમના બીજવાળો ભાત વાપરવો તે. (૪) અભિષવાહાર - કુંથવા, કીડી વગેરે સૂક્ષ્મ જંતુઓથી મિશ્ર આહાર કરવો તે, અથવા દારૂ વગેરેનો આહાર કરવો તે. (૫) દુષ્પફવાહાર - અડધુ પાકેલું ભોજન કરવું તે. ૯) અનર્થદંડવિરમણ વ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૨૭) (૧) કંદર્પ - રાગથી યુક્ત એવો અસભ્ય વાક્યપ્રયોગ અને હાસ્ય તે કંદર્પ. (૨) કીત્યુચ્ય - શરીરની દુષ્ટ ચેષ્ટાથી યુક્ત એવો રાગવાળો અસભ્ય વાક્યપ્રયોગ અને હાસ્ય તે કૌત્કચ્ય. (૩) મૌખર્ય - સંબંધ વિનાનું બહુ બોલવું તે મૌખર્ય. (૪) અસમીક્ષ્યાધિકરણ - જેનાથી આત્મા નરક વગેરે દુર્ગતિમાં જવાનો અધિકારી બને તે અધિકરણ. જે પોતાની ઉપર કોઈ ઉપકાર ન કરે, માત્ર બીજાનું પ્રયોજન સાથે તે અસમીક્ષ્યાધિકરણ. અધિકરણોને જોડીને તૈયાર રાખવા તે. (૫) ઉપભોગાધિકત્વ - સ્નાન માટેનો સાબુ, અલંકાર વગેરે પોતાના ઉપભોગથી વધુ રાખવા તે. - ૧૦) સામાયિક વ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૨૮)
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy