SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજા અને ચોથા વ્રતના અતિચાર ૩૦૧ ૪) સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૨૨) (૧) સ્તનપ્રયોગ - “તમે ચોરી કરો,” એમ ચોરોને ચોરી કરવામાં પ્રેરણા કરવી, અથવા ચોરી કરવામાં ઉપયોગી એવા ઉપકરણો બનાવવા, વેચવા તે. (૨) સ્તુનાહતાદાન - ચોરોએ ચોરેલા દ્રવ્યને વિના મૂલ્ય કે વેચાતું લેવું તે. (૩) વિરુદ્ધરાજ્યાતિક્રમ - વિરોધી રાજાના રાજ્યમાં પ્રવેશવું તે. (૪) હિનાધિકમાનોન્માન - બીજાને આપવાનું હોય ત્યારે માનઉન્માન ઓછુ કરવું, પોતે લેવાનું હોય ત્યારે માન-ઉન્માન વધુ કરવું તે. માન = કુડવ વગેરે, ઉન્માન = ત્રાજવું વગેરે. (૫) પ્રતિરૂપકવ્યવહાર - અનાજમાં ડાંગર-ભૂસુ નાંખવા, તેલમાં ચરબી નાંખવી વગેરે. ૫) સ્કૂલમૈથુનવિરમણ વ્રતના પ અતિચાર - (સૂત્ર-૭/૨૩) (૧) પરવિવાહકરણ - પોતાના સંતાનો સિવાય બીજાના વિવાહ કરવા તે. (૨) ઇત્રપરિગૃહીતાગમન - બીજાએ અલ્પકાળ માટે ગ્રહણ કરેલી વેશ્યાને સેવવી તે. (૩) અપરિગૃહીતાગમન - વેશ્યા, સ્વૈરિણી, જેનો પતિ બહારગામ ગયો છે તે પ્રોષિતભર્તૃકા વગેરે અનાથ સ્ત્રીઓને સેવવી તે. (૪) અનંગક્રીડા - અનંગ એટલે કામ. તેનાથી ક્રીડા કરવી તે અનંગક્રીડા. કૃત્રિમ અંગોથી કામક્રીડા કરવી, હસ્તકર્માદિ કરવા, અતિશય કામરાગ ઉત્પન્ન થાય તેવી ક્રીડા કરવી વગેરે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy