SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મોના વિશેષ આગ્નવો ૨૭૭ ચરણવિનય - પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ. ઉપચારવિનય - અભ્યત્થાન, આસન આપવું, અંજલિ વગેરે. વિનયનું વિશેષ સ્વરૂપ આગળ (પાના નં. ૩૭૩-૩૭૫ ઉપર) બતાવાશે. સંવેગ સંસારના દુઃખોનો ભય અને સંસારના સુખોની અનિચ્છા. ૧૪) નીચગોત્ર - પરનિંદા, સ્વપ્રશંસા, બીજાના વિદ્યમાન ગુણો ઢાંકવા, પોતાના અવિદ્યમાન ગુણો પ્રગટ કરવા, જાતિમદ, કુલમદ, રૂપમદ, બલમદ, શ્રતમદ, આશૈશ્વર્યમદ, તપોમદ, બીજાની અવજ્ઞા કરવી, બીજાની મશ્કરી કરવી વગેરે. (સૂત્ર-૬/૨૪) ૧૫) ઉચ્ચગોત્ર - બીજાના ગુણોની પ્રશંસા, પોતાની નિંદા, બીજાના ગુણોને પ્રગટ કરવા - દોષોને ઢાંકવા, પોતાના ગુણોને ઢાંકવા, નમ્રતા, અભિમાનનો અભાવ વગેરે. (સૂત્ર-૬/૨૫) ૧૬) અંતરાય - દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્યમાં અંતરાય કરવો વગેરે. (સૂત્ર-૬/૨૬) દાન - વિશિષ્ટ પરિણામપૂર્વક પોતાનું ધન બીજાને આપવું તે. લાભ - બીજા વડે અપાતું ધન વગેરે ગ્રહણ કરવું તે. ભોગ - સુંદર એવા શબ્દાદિ વિષયોને અનુભવવા તે. ઉપભોગ - અન્ન, પાણી, વસ્ત્ર વગેરેને સેવવા તે. વિર્ય - વિશિષ્ટ ચેષ્ટારૂપ આત્માનો પરિણામ છે. | | ધર્મસંગ્રહની મહોપાધ્યાય શ્રીમાનવિજયજી કૃત ટીકામાં ભોગ અને ઉપભોગનો અર્થ આ પ્રમાણે કર્યો છે, “ભોગ - જે વસ્તુ એક જ વખત ઉપયોગમાં આવે તે ભોગ. દા.ત. અન્ન, ફૂલ, તંબોલ, વિલેપન, સ્નાન વગેરે. ઉપભોગ જે વસ્તુ અનેક વખત ઉપયોગમાં આવે તે ઉપભોગ. દા.ત. સ્ત્રી, વસ્ત્ર, ઘરેણા, ઘર, પલંગ, ગાદી વગેરે.'
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy