SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રત પ્રકરણ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ થકી મન-વચન-કાયાથી વિરતિ તે વ્રત છે. (સૂત્ર-૭/૧) જાણીને શ્રદ્ધા કરીને વ્રત સ્વીકારીને પાપ ન કરવું તે વિરતિ છે. હિંસા વગેરે થકી એક દેશથી વિરતિ તે અણુવ્રત છે અને સર્વથી વિરતિ તે મહાવ્રત છે. (સૂત્ર-૭/૨) એક દેશથી એટલે સ્થૂલથી. સર્વથી એટલે સ્કૂલથી અને સૂક્ષ્મથી. · અણુવ્રત - ૧) સ્થૂલહિંસાવિરમણ અણુવ્રત - સ્થૂલહિંસા = ત્રસ જીવોની હિંસા અથવા સંકલ્પપૂર્વકની હિંસા. સૂક્ષ્મણિંસા-સ્થાવર જીવોની હિંસા અથવા આરંભથી થતી હિંસા. ત્રસ જીવોની હિંસાથી વિરતિ અથવા સંકલ્પપૂર્વકની હિંસાથી વિરતિ તે પૂલહિંસાવિરમણ અણુવ્રત. ૨) સ્થૂલ મૃષાવાદવિરમણ અણુવ્રત - સ્થૂલ મૃષાવાદ-ખોટી સાક્ષી આપવી તે. સૂક્ષ્મમૃષાવાદ મર્મઘાતક વચનો બોલવા વગેરે. ખોટી સાક્ષી આપવી વગેરે સ્થૂલમૃષાવાદથી વિરતિ તે સ્થૂલ મૃષાવાદવિરમણ અણુવ્રત. ૩) સ્થૂલ અદત્તાદાનવિરમણ અણુવ્રત - સ્થૂલ અદત્તાદાન=જેમાં ગૃહસ્થોને આભવ-પરભવસંબંધી નુકસાન થાય તેવી ધન વગેરેની હઠપૂર્વક ચોરી કરવી તે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy