SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મોના વિશેષ આગ્નવો ૨૭૫ ભયમોહનીય - પોતે ડરવું, બીજાને ડરાવવા, નિર્દયપણું વગેરે. જુગુપ્સામોહનીય - ધર્મ-ચતુર્વિધ સંઘની જુગુપ્સા કરવી-નિંદા કરવી વગેરે. ૭) નરકાયુષ્ય - બહુ આરંભ, બહુ પરિગ્રહ, માંસાહાર, પંચેન્દ્રિયનો વધ, અનંતાનુબંધી કષાયો, સ્થિરવૈર, ઇન્દ્રિયોનો અનિગ્રહ, નિર્દયતા, કૃષ્ણલેશ્યા, રૌદ્રધ્યાન, શીલરહિતપણું, વ્રતરહિતપણું વગેરે. (સૂત્ર૬/૧૬,૬/૧૯) ૮) તિર્યંચાયુષ્ય -માયા, મિથ્યાઉપદેશ, આરંભ, પરિગ્રહ, નીલકાપોત વેશ્યા, આર્તધ્યાન, માર્ગનો નાશ કરવો, અતિચાર સહિતના વ્રતો, અપ્રત્યાખ્યાનાવરણીય કષાયો, શીલરહિતપણું, વ્રતરહિતપણું વગેરે. (સૂત્ર-૬/૧૭,૬/૧૯) ૯) મનુષ્પાયુષ્ય - અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, નમ્રતા, સરળતા, મિથ્યાત્વ, પ્રજ્ઞાપનીયતા (સુખેથી સમજાવી શકાવાપણું), પ્રત્યાખ્યાનાવરણીય કષાયો, દેવ-ગુરુની પૂજા, સંવિભાગનો સ્વભાવ, કાપોતલેશ્યા, ધર્મધ્યાન, મધ્યમ પરિણામ, શીલરહિતપણું, વ્રતરહિતપણું વગેરે. (સૂત્ર-૬/૧૮,૬/૧૯) ૧૦) દેવાયુષ્ય - સરાગસંયમ, દેશવિરતિ, અકામનિર્જરા, બાલતપ, તપની ભાવના, સુપાત્રદાન, અવ્યક્ત સામાયિક (સમજણ વિનાનું સામાયિક) વગેરે. (સૂત્ર-૬/૨૦) . ૧૧) અશુભ નામકર્મ - મન-વચન-કાયાના યોગોની વક્રતાવિસંવાદ, મિથ્યાત્વ, માયા, ચાડી ખાવી, અસ્થિરચિત્તપણું, ખોટા માનતોલ કરવા, સુવર્ણ વગેરેની નકલ કરવી, ખોટી સાક્ષી આપવી, વિક્રતા–કુટિલ પ્રવૃત્તિ વિસંવાદ પહેલા સ્વીકારેલી બાબતમાં પછીથી ફેરફાર કરવો તે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy