SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મોના વિશેષ આસ્રવો અકામનિર્જરા - ઇચ્છા વિના થતી નિર્જરા તે અકામનિર્જરા. બાલતપ - બાલ એટલે મિથ્યાત્વી. તેનો તપ તે બાલતપ. ૨૭૪ ૫) દર્શનમોહનીય - કેવલી, શ્રુતજ્ઞાન, ચતુર્વિધ સંઘ, ધર્મ, દેવોનો અવર્ણવાદ (નિંદા) કરવો વગેરે. (સૂત્ર-૬/૧૪) ૬) ચારિત્રમોહનીય - કષાયના ઉદયથી થતો આત્માનો તીવ્ર પરિણામ વગેરે. (સૂત્ર-૬/૧૫) સ્ત્રીવેદ - શબ્દાદિ વિષયોમાં આસક્તિ, ઇર્ષ્યા, અસત્ય, વક્રતા, પરસ્ત્રીમાં રતિ વગેરે. પુરુષવેદ - સરળતા, મંદ કષાયો, સ્વસ્રીસંતોષ, ઇર્ષ્યાનો અભાવ વગેરે. નપુંસકવેદ - તીવ્ર ક્રોધથી પશુઓનો વધ કરવો - મુંડન કરવું, સ્ત્રીપુરુષોની સાથે અનંગસેવા, શીલવ્રતધારીઓની સાથે વ્યભિચાર, વિષયોનો તીવ્ર રાગ વગેરે. હાસ્યમોહનીય - હસવું, હસાવવું, બહુ બોલવું, મશ્કરી કરવી વગેરે. શોકવેદનીય - પોતે શોક કરવો, બીજાને શોક કરાવવો વગેરે. રતિમોહનીય - વિચિત્ર ક્રીડા કરવી, બીજાના ચિત્તનું આવર્જન કરવું, દેશ વગેરે જોવાની ઉત્સુકતા. અરતિમોહનીય - પ્રીતિનો નાશ કરવો, પાપ કરવાનો સ્વભાવ, ચોરી વગેરે. ] અનંગસેવા – મૈથુન માટેના અંગો સિવાયના હાથ વગેરે અંગોથી કામક્રીડા કરવી, અતિશય કામરાગ ઉત્પન્ન થાય તેવી રીતે કામક્રીડા કરવી.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy