SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ કર્મોના વિશેષ આગ્નવો તેમને છુપાવવા, તેમની ઉપર ઈર્ષા કરવી, તેમને અંતરાય કરવો, તેમની આશાતના કરવી, તેમનો નાશ કરવો વગેરે. (સૂત્ર-૬/૧૧) ૨) દર્શનાવરણ - દર્શન, દર્શની, દર્શનના સાધનોની ઉપર દ્વેષ કરવો, તેમને છૂપાવવા, તેમની ઉપર ઈર્ષ્યા કરવી, તેમને અંતરાય કરવો, તેમની આશાતના કરવી, તેમનો નાશ કરવો વગેરે. (સૂત્ર૬/૧૧) ૩) અસતાવેદનીય - સ્વ, પર કે ઉભયને દુ:ખ, શોક, તાપ, આક્રંદન, વધ, પરિદેવન કરવા-કરાવવા વગેરે. (સૂત્ર-૬/૧૨) દુઃખ - ઇષ્ટનો વિયોગ કે અનિષ્ટનો સંયોગ થવાથી થતી પીડા તે દુઃખ. શોક - અનુગ્રહ કરનારના સ્નેહનો વિચ્છેદ થવાથી થતી દીનતા તે શોક. તાપ - પશ્ચાતાપ આકંદન - પસ્તાવાથી યુક્ત મને આંસુ પાડવા, અંગોનો વિકાર, વિલાપ વગેરેથી વ્યક્ત થાય તે આઝંદન. વધ - પ્રાણોને પ્રાણીથી જુદા કરવા તે વધ, અથવા ચાબુક વગેરેથી મારવું તે વધ. પરિદેવન - પોતાનો કે બીજાનો અનુગ્રહ માંગવો તે પરિદેવન. ૪) સાતાવેદનીય - જીવોની અનુકંપા, પાખંડીઓ-શ્રાવકોસાધુઓની અનુકંપા, દાન, સરાગસંયમ, દેશવિરતિ, અકામનિર્જરા, બાલતપ, ક્ષમા, શૌચ (લોભકષાયનો નિગ્રહ) વગેરે. (સૂત્ર-૬/૧૩) સરાગસંયમ - કષાય સહિતનું સંયમ તે સરાગસંયમ.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy