________________
( ૭૬
––
* જૈન ક્યા ક્યા પ્રમાણે સર્વજ્ઞની સાબિતીમાં આડે આવે છે ? -આપ કૃપા કરીને તેને નામવાર જણાવશો?
જૈમિનિ –પહેલું તે પ્રત્યક્ષ પ્રમાણ જ સર્વજ્ઞની આડે આવે છે.
જૈન –આપ જરા કૃપા કરીને સમજાવો કે-એ પ્રત્યક્ષ પ્રમાણુ - સર્વજ્ઞની આડે શી રીતે આવે છે? કારણ કે-પ્રત્યક્ષ પ્રમાણ અને સર્વજ્ઞ
એ બે વચ્ચે કોઈ જાતનો વિરોધ નથી, તેમ કઈ જાતનો સંબંધ નથી કે જેથી તે, એની આડે આવી શકે?
જૈમિનિ –વર્તમાનમાં કેઈ સર્વજ્ઞ હેય, એવું પ્રત્યક્ષ પ્રમાણથી જાણી શકાતું નથી, માટે જ એ, સર્વની સાબિતીને નિષેધ કરે છે.
જૈન –ભાઈ, તમારી એ દલીલ તમને શોભે તેવી નથી; કારણ કે ભૂત પિશાચો પણ પ્રત્યક્ષથી જોઈ શકાતા નથી, સૂર્ય અને ચંદ્રને નીચેનો ભાગ પણ પ્રત્યક્ષથી જોઈ શકાતું નથી, તેમ આપણું થઈ - ગએલા વડવાઓ પણ પ્રત્યક્ષથી જોઈ શકાતા નથી, તે શું પ્રત્યક્ષ પ્રમાણુ
એ બધાની હયાતીને નિષેધ કરશે ખરું ? તેની તે તમારે પણ “ના” જ પાડવી પડશે, માટે તમારું બેલેલું પાછું ખેંચી લે એમાં જ તમારી શોભા છે.
જૈમિનિ –થયું. પ્રત્યક્ષ નહિ તે અનુમાન તે જરૂર સર્વજ્ઞની સિદ્ધિને નિષેધ કરી રહ્યું છે.
જૈન –ભાઈ, એ શી રીતે ? તમો એ માટે કઈ કઈ જાતનાં અનુમાન કરે છે? શું તમે એમ કહેવા ઈચ્છો છો કે સર્વજ્ઞ નથી ? વા સર્વજ્ઞ અસર્વજ્ઞ છે ? વા બુદ્ધ વિગેરે સર્વજ્ઞ નથી ? વા બધા પુરુષો સર્વજ્ઞ નથી ?
જૈમિનિ – શરૂઆતમાં તે અમે એટલું જ કહીએ છીએ કે “સર્વજ્ઞ નથી.' '
જૈન –ભાઈ એ તે ખરું; પણ તેમ કહેવાને હેતુ પણ જણ તે ઠીક.