________________
( ૧૫ ——–
નથી. તેમ કાર્યકારણ સંબંધ પણ નથી, એ તદ્દન સાચી વાત છે. એક તત્વજ્ઞાનીએ ગાયું છે કે,
પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂલ દેહ મતિ અલ્પ.
દેહ હોય જે આતમા, ઘટે ન આમ વિકલ્પ.” ૫૬. ' * “જડ ચેતન તે ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ;
એકપણું પામે નહીં, ત્રણે કાળ દયભાવ.” પ૭
આ ઉપરથી નક્કી થાય છે કે, ચૈતન્ય શરીરથી બનતું નથી તેમ શરીરમાં પણ બનતું નથી. “ચૈતન્ય શરીરથી બને છે કે શરીરમાં બને છે” એ વાતને સાબિત કરવા માટે કોઈ પ્રમાણ પણ મળતું નથી. કદાચ એ વાતને નક્કી કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણને આડું ધરવામાં આવે તે તે બરાબર નથી, કારણ કે ચિતન્ય ઈદ્રિયોથી કળાય એવી ચીજ નથી અને પ્રત્યક્ષ પ્રમાણે તે પિતાની ક્રિયા ઈદ્રિવડે જ કરે છે માટે ચૈતન્યને લગતી હકીક્તમાં પ્રત્યક્ષ પ્રમાણુ કામ આવી શકે એવું નથી. વળી, એ બાબતને નક્કી કરવા માટે અનુમાન પ્રમાણે તે તદ્દન અશકત છે, કારણ કે આત્માને નહિ માનનારા નાસ્તિક અનુમાનને પ્રમાણ તરીકે સ્વીકારતા જ નથી. કદાચ એમ કહેવામાં આવે કે જેમ દારૂ બનાવવાની ચીજો એક સાથે મળવાથી એમાં માદકપણું પેદા થાય છે તેમ જ્યારે આ ભૂત શરીરને આકાર ધારણ કરે છે ત્યારે જ તેમાં ચિતન્ય પેદા થાય છે કારણ કે-જ્યાં શરીર હોય છે ત્યાં જ ચૈતન્યની પણ હયાતી જણાય છે—એ જાતની દલીલથી શરીર અને ચિતન્ય વચ્ચે વિશેષ સંબંધ જાણી શકાય તેમ છે; પરંતુ વિચાર કરતાં એ દલીલ ખેતી કરે છે. કારણ કે, મુડદાના શરીરમાં ચૈતન્ય જણાતું નથી. જે શરીર હોય ત્યાં જ ચિતન્ય રહેતું હોય તે એ મૃત–શરીરમાં પણ જણાવું જોઈએ. વળી, કદાચ એ દૂષણને દૂર કરવા માટે એમ કહેવામાં આવે કે–અમે તે એમ માનીએ છીએ કે પૃથિવી,