________________
જૈન જગત્ – લોકવાદ
३६७ બાકી રહ્યો તેને અનંતમે ભાગ ગયા. એટ અલેક હેટ છે. અર્થાત લોકની તો એ દિશામાં સીમા છે, જ્યારે અલોકની તો સીમા જ નથી.
(મા૨૨–૨૦ ૦ ૦ર૬) લકની મહત્તા અને જીવનું ગમનાગમન.
લોકની મહત્તા એક પ્રકારે તે દષ્ટાંતથી દર્શાવી છે. બીજો પ્રકાર નીચે દર્શાવવામાં આવે છે.
[ પ્રશ્નોત્તર ] - ગૌતમ–ભંતે! લોક કેવડો કહે છે?
શ્રીમહા –ગૌતમ! અસંખ્યાત કાડાકડી જોજન પૂર્વ દિશામાં, અટકેજે જન પશ્ચિમ દિશામાં, અ૦ કેજોજન દક્ષિણ દિશામાં, અટકે. જોજન ઉત્તર દિશામાં, અટકે જન ઉર્વદિશામાં અને અ ક જન અર્ધ દિશામાં લાંબા અને પહોળા છે.
ગૌતમ–ભંતે ! એવડા મ્હોટા લોકમાં એક પરમાણુ માત્ર એવી જગ્યા છે કે જ્યાં આ છ જન્મ કે મરણ ન કર્યો હોય ?
શ્રીમહાઇ–ગૌતમ ! એવી જગ્યા એક સરસવ માત્ર કે પરમાણુ માત્ર નથી કે જ્યાં આ છ જન્મમરણ ન કર્યો હોય.
ગૌતમભંતે ! એનું શું કારણ, તે કઈ દષ્ટાંતથી સમજાવવાની કૃપા કરશે?
શ્રીમહાઇ–ગૌતમ! સાંભળ. એક દષ્ટાંત આપું. કોઈ એક માણસની પાસે એક સો બકરીઓ બાંધવાનો વાડે છે. તે વાડામાં એક હજાર બકરી પુરે; વધારેમાં વધારે છમાસ સુધી તેમાં ગોંધી રાખે; હે ગૌતમ! શું તે વાડામાં એક સરસવ જેટલી એવી જગ્યા રહેશે કે જે બકરીઓની લિંડી, પેશાબ, બળગમ, નાસિકામલ, વમન, પિત્ત, પરૂ, શુક્ર, શણિત, ચર્મ, રામ, ગ, ખુર અને નખ વગેરેથી ફરસાયેલી ન બને?
ગૌતમ–ભંતે! તેવાડાને કઈ પણ ભાગ ફરસ્યા વિનાને નહિ રહે.