________________
૩રર
સષ્ટિવાદ અને ઈશ્વર સમન્વિત થશે પણ પ્રકૃતિમાં નહિ થાય. માટે ભેદસમન્વય રૂપ હેતુથી પ્રકૃતિ સર્વનું કારણ સિદ્ધ ન થઈ. સુત્યરુમતિવિરત.
(૪૦૦ મા પ૦ ૨ા પૃ. ૮૨-૮૪) કલાદિ વાદ પરત્વે જૈનને ઉત્તર પક્ષ.
પ્રકૃતિવાદની સાથે સાથે કાલવાદ, સ્વભાવવાદ, નિયતિવાદ અને કર્મવાદની એકાંતરૂપે પ્રવૃત્તિ થઈ છે જેથી મૂળ ગાથામાં
પ ” શબ્દ રાખવામાં આવ્યું છે. પ્રધાન–પ્રકૃતિ અને આદિ શબ્દથી કાલ સ્વભાવ આદિ ચાર કારણને ઉપન્યાસ પૂવ પક્ષ તરીકે અગાઉ કરી ચુક્યા. સૂરિજીએ આ સંબંધમાં જે ઉહાપોહ કર્યો છે, તેમાંથી કંઈક પૂર્વ પક્ષના ઉપન્યાસની સાથે ઉત્તર પક્ષને ઉપન્યાસ કરવો અપ્રાસંગિક નહિ ગણાય.
कालादीनां च कर्तृत्वं, मन्यन्तेऽन्ये प्रवादिनः । केवलानां तदन्ये तु, मिथः सामग्यपेक्षया ॥
(શro વાવ તવ ૨ાકર) અર્થ—કેટલાએક એકાન્તવાદીઓ કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વ કર્મ પૈકી એક એકને એકાંતપણે કારણ તરીકે માને છે, જ્યારે અનેકાંતવાદીઓ એ ચારેના સમૂહ રૂપ સામગ્રીને સાપેક્ષ કારણ તરીકે સ્વીકારે છે.
એ ચારે વાદીઓનો પરસ્પર સંવાદ આ પ્રમાણે છે. પ્રથમ કાલવાદી કહે છે કે –
न कालव्यतिरेकेण, गर्भकालशुभादिकम् । यत्किञ्चिजायते लोके, तदसौ कारणं किल ॥
(શા વા. ત. ૨ાહરૂ) कालः पचति भूतानि, कालः संहरति प्रजाः । . कालः सुप्तेषु जागति, कालो हि दुरतिक्रमः ॥
(શro વાઇ ૨૫ ૯૭)