SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ યાત્રા 2 જી. ( 7 ) કે જમીનમાં પડ્યા હોય તે તે જાતના છોડવાઓ પિદા થાય છે, ભેજનમાં તેને ઉપયોગ થાય છે ત્યારે તેને નાશ થયે જણાય છે પણ તેને નાશ મૂળ દ્રવ્યરૂપે થતો નથી, કારણકે મળમૂત્ર દ્વારા તેના પરમાણુઓ પાછા પૃથ્વીમાં મળી જઈ પાછા તેના તેજ અનાજ, ફળ વિગેરે રૂપે ઉત્પન્ન થાય છે. વળી જે જે જમીનમાં જે જે અનાજ તથા ફળના પરમાણુઓ, નથી હોતા, તે જમીનમાં તેવાં અનાજ કે ફળે થતાં નથી. જેમકે, આપણા દેશમાં લવીંગ, એપારી, તજ, એલાઈચી, વગેરે પદાર્થ નીપજતા નથી, કારણકે, આપણી જમીનમાં તે જાતના પરમાણુઓ, હેતા નથી. વળી જમીનમાં ખાતર નાખવાથી અનાજ વધારે પાકે છે, કારણ કે, ખાતરમાં અનાજ વગેરેના પરમાણુઓ વધારે હોય છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે, જ્યાં જે જાતના પરમાણુઓ હોય છે, ત્યાં તે જાતના અનાજ કે ફળ વિશેષ થાય છે. શોધચંદ્ર જરા વિચાર કરીને આ પ્રમાણે પ્રશ્ન કર્યો–ભગવન ! જે જમીનમાં બધી જાતના પરમાણુઓ હોય તે એક ખેતરમાં બાજરી, તલ, તુવેર, વાલ વગેરેના બીજ સાથે નાંખવામાં આવ્યા અને વરસાદ વરસવાથી બધા ઉગી નીકળ્યા. જમીન એક સરખી છે. જોડાજોડ બાજરી, તલ, તુવેર વગેરેના છોડ જુદી જુદી જાતના ઉગ્યા અને જમીનમાંને એક સરખો રસ સઘળા રેપાએ ચુસી લીધે, ત્યારે બાજરીના રોપામાં બાજરીના દાણ આવ્યા, તેમાં તલ કે તુવેરના દાણા કેમ ન આવ્યા? તેમજ તલ કે તુવેરના રેષામાં બાજરીના પરમાણુઓ કેમ ન આવ્યા? આ વાત યુક્તિપૂર્વક સમજાવવાની કૃપા કરે. મહાત્માએ કહ્યું, ભદ્ર! એ વાત તે રસાયણ શાસ્ત્રથી સારી રીતે સાબીત થઈ શકે છે. બાજરીનું બીજ બાજરીને દાણે, અને તુવેરનું બીજ તુવેરને દાણો–આ બંને રેપા જોડાજોડ છે, તે ઉગી નીકળી વધવા લાગ્યા. જમીનમાં પાણી પડવાથી માટીની અંદર રહેલા તને અને પાણીને એક રસ બપછી તે રેપાઓ પિતાપિતાના પરમાણુઓને ખેંચી લે છે. કારણકે, રસાયણ શાસ્ત્ર કહ્યું છે કે, પરમાણુઓની અંદર સ્નેહાકર્ષણ શક્તિ રહેલી છે. તેથી
SR No.022507
Book TitleAatmonnati Yane Sarvagna Pranit Syadvad Darshan Swarup
Original Sutra AuthorN/A
AuthorBechardas Durlabhdas
PublisherJain Atmanand Sabha
Publication Year1913
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy