SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ - Wપન (16) આત્મોન્નતિ. મહાત્માની શાંત મૂત્તિ જોતાં જ મારા હૃદયે પૂર્ણ આશ્વાસન મેળવ્યું છે અને તેની અંદર પ્રતીતિએ વાસ કર્યો છે. મને તે એટલે સુધી લાગી આવ્યું છે કે, જે આપણાં પૂર્ણ સદ્ભાગ્ય હોય અને પર્વને પુણ્યરાશિ ઉદય આવ્યો હોય તેજ આ મહાત્માનું શરણ આપણને પ્રાપ્ત થાય. બધુ! હવે ચાલે સત્વર આ ઉગ્ર તેજસ્વી અનગારના શરણમાં જઈએ.” શોધકચંદ્રનાં આ વચને સાંભળી તેઓ બને તે મહાત્માની સન્મુખ ઉભા રહ્યા અને તેમના ચરણમાં વંદના કરી આ પ્રમાણે સ્તુતિ કરી " ज्ञानांभोनिधये विश्वजीवोद्धार विधायिने / સાત્મારામ મન મુનીરાય નમો નમઃ” ને ? . જ્ઞાનના સમુદ્રરૂપ, સર્વ જેને ઉદ્ધાર કરનારા અને સદા મનને આત્મામાં આરામ આપનારા મુનીશ્વરને નમસ્કાર છે.” 1. આ પ્રમાણે રસ્તુતિ કરી તે બંને ધર્મ બંધુએ અંજલિ જેડી સન્મુખ ઉભા રહ્યા. મહાત્માએ કૃપા દ્રષ્ટિથી તેમની સામે જોયું, એટલે તેઓ આ પ્રમાણે છેલ્યા–“મહાત્મન ! અમે પામર સંસારી જીવ આપની શરણે આવ્યા છીએ. કૃપા કરી અમારા આત્માને ઉદ્ધાર કરે” આ પ્રમાણે કહી તેઓ પુનઃ નીચેનું સ્તુતિ કાવ્ય બેલ્યા હતા. "पादिनो मुनिशार्दूल भववन्हे भयंकरात् / नोऽपरं शरणं नास्ति त्वदतेऽत्र दयानिधे" // 1 // હે મુનિઓમાં સિંહ સમાન, હે દયાનિધિ, આ સંસારરૂપ ભયંકર અગ્નિમાંથી અમારી રક્ષા કરે. આ લેકમાં તમારા શિવાય અમારે કંઈ બીજું શરણ નથી.”૧. તેમની આવી ભાવના સહિત ભક્તિ જોઈ તે મહાત્મા હદયમાં પ્રસન્ન થયા. તત્કાલ પોતે ઊભા રહી ગંભીર સ્વરથી બોલ્યા–“ભદ્ર! તમે કોણ છે? અને કયાં રહે છે ? એ મહાત્માનાં આ વચન સાંભળી તેઓએ પિતાને સર્વ વૃત્તાંત તેમની પાસે નિવેદન કર્યો અને પિતાની તત્વ જિજ્ઞાસા પણ પ્રદશિત કરી. તેમને ઉત્તમ પ્રકારના અધિકારી જાણ તે સૂરિવર વિશેષ પ્રસન્ન થઈને બેલ્યા-દેવાનુપ્રિય! તમારી તત્વ જિજ્ઞાસા જોઈ મારૂ
SR No.022507
Book TitleAatmonnati Yane Sarvagna Pranit Syadvad Darshan Swarup
Original Sutra AuthorN/A
AuthorBechardas Durlabhdas
PublisherJain Atmanand Sabha
Publication Year1913
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy