SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ યાત્રા 6 ઠી. (ર૫૩) ત્માને મેળાપ થાય છે. હવે આપ આવતી કાલે વિહાર કરવાના છે, તે કૃપા કરી અને સાથે લેવા ઈચ્છા કરશે. અમારા હૃદયમાં એવી જ ભાવના થાય છે કે, સુકૃત-પુણ્યને વેગ અનુકૂલ હેાય તે આપના સંગમાં રહીને જ આ જીવન પુરૂં કરીએ, આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર એવા આ સંસારરૂપ ગ્રીષ્મ ગાતુમાંથી ઉગરવાની ઈચ્છા રાખનારા પુરૂએ આપના સમાગમની શીતળ છાયાને આ શ્રય કરે જોઈએ.” આ પ્રમાણે કહી તેમણે નીચેના ક્ષેકથી તે મહાત્માની પ્રશંસા કરી. " मरुस्थल्यां यथा वारि निर्जने प्रियसंगमः તથા સંસાણામંત્ર સંગતવ કુમા” છે ? જેમ મરૂભૂમિમાં જળ અને નિર્જન વનમાં પ્રિય સંગમ દુર્લભ છે. તેવી રીતે આ લેકમાં સંસારીઓને તમારે સંગમ દુર્લભ છે.” 1 આ વખતે ધકચક્રે નમ્રતાથી જણાવ્યું, મહાનુભાવ, આપની કૃપાથી હું તદન નિશંક થયે છું, અને શ્રી અરિહંતની વાણી ઉપર મને પૂર્ણ વિશ્વાસ અને દઢ શ્રદ્ધા પ્રાપ્ત થએલ છે, હવે માત્ર એટલી વિનંતિ કરવાની છે કે, આજકાલ નવીન સુધારાએ ભારતવર્ષમાં પ્રવેશ કરે છે, નવિન વિદ્વાને ધર્મની વાર્તાને અતિશક્તિ કહી વડી કાઢે છે, અને જે સાયન્સ-રસાયણશાસ્ત્ર પ્રમાણે સા- " બીત થાય તેને માને છે તે આજકાલ તેવા લેકેને સમજાવી શકાય તેને માટે આપ મહાનુભાવ રસાયણશાસ્ત્રની રીતિ આપના જાણવા તેમજ સાંભળવામાં આવી હોય તે તે પ્રમાણે આપને અનુભવ પણ અમને સમજાવે, તે તેથી આધુનિક સમયની પ્રજાને કેટલે એક લાભ થશે.” સત્યચકે, શોધચંદ્રના વિચારને અનુમોદન આપતાં કહ્યું, “મહાત્મન્ , મારા ધર્મબંધુ શેધકચક્રે જે કહ્યું છે તે જાણવાની મારી પણ ઈચ્છા છે. આ૫ મહાનુભાવની વાણીથી એ વિષય સારી રીતે ફુટ થશે. આપના એ વિચારે અમે પ્રજામાં જાહેર કરીશું, તેથી પશ્ચિમની વિદ્યાના સંસ્કારવાળા લોકેને આહત ધર્મનું રહસ્ય સારી
SR No.022507
Book TitleAatmonnati Yane Sarvagna Pranit Syadvad Darshan Swarup
Original Sutra AuthorN/A
AuthorBechardas Durlabhdas
PublisherJain Atmanand Sabha
Publication Year1913
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy