SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ (ર૩૪) આત્મોન્નતિ, ભદ્ર, આ જગતમાં જે પ્રાણીઓને જન્મ મરણ થયા કરે છે, તેનું કારણ હિંસા પણ છે. હંમેશા આપણાથી જાણતાં અજાણતાં હિંસા થયા કરે છે. ચાલવાથી, ઉઠવાથી, કાંઈ ચીજ લેવાથી કે મુકવાથી અને કામકાજ કરવાથી ઘણુ સૂક્ષ્મ જીવેને ઘાત થઈ જાય છે તેમાં આપણું રસોડામાં ઘણું જીવે ભસ્મીભૂત થઈ જાય છે. તેવા અસંખ્યાતા છેવના ઘાતથી આપણે જન્મ મરણના પાત્ર બનીએ છીએ. ભદ્ર, તેથી યથાશક્તિ તેવા ઇવેને બચાવવાનો પ્રયત્ન કરવું જોઈએ. દરેક મનુષ્યને એ ખરે ધર્મ છે. તે ખરે ધર્મ બજાવવાને માટે મનુષ્ય જયણા કરવી જોઈએ. ભદ્ર, જે મુનિઓ છે તેઓ પરિપૂર્ણ રીતે દયા ધર્મના પાલક થઈ શકે છે. જૈન મુનિઓ વિરતિ ધર્મના પાલક હેવાથી ઉત્તમ પ્રકારે જયણા કરી શકે છે, તેમનાથી કઈ પણ જીવને ઘાત થત નથી, તેથી જ મુનિઓ વીશ વસા દયા પાલી શકે છે. પવિત્ર જૈન મુનિઓની ચેષ્ટાઓ દયા ભરેલી હોય છે. તેઓ ચાલતાં પગમાં ઉપાન પહેરતા નથી, તેઓ નીચે દષ્ટિ રાખી યતના પૂર્વક ચાલે છે. રજોહરણથી પ્રમાર્જન કરેલા સ્થાન ઉપર બેસે છે. કઈ વસ્તુ નીચે મુકવી કે લેવી વગેરે સર્વ કાર્ય યતનાપૂર્વક કરે છે, તેથી કઈ પણ જીવને ઘાત થતું નથી. જેથી કરીને ઘણા જીવને સંહાર થાય, તેવા રઈ વગેરે આરંભવાળા કામ તેઓ કરતા નથી. તેઓ આ હાર પાણી પણ ઉપયોગ સાથે કરે છે. તેઓ માધુકરી ભિક્ષા માગી લાવે છે, એટલે પિતાને અર્થે નહિ કરેલી અને નહિ કરાવેલી ભિક્ષા લાવે છે. જુદા જુદા ગૃહસ્થને ઘેરથી થોડે થેડે નિર્દોષ આહાર ગ્રહણ કરે છે એવી રીતે જૈન મુનિઓ સર્વ અશે દયા પાળનારા છે. તેથી તેમના જન્મ-મરણ ઘટી જાય છે અને અને તેઓ મેક્ષે જાય છે. ભદ્ર, સાધુઓની જેમ ગૃહસ્થાથી સર્વ અશે દયા પળાતી નથી, ગૃહસ્થથી જીવહિંસાને સર્વથા ત્યાગ થઈ શકતો નથી, તેથી ગૃહસ્થ ડે અંશે દયા પાળી શકે છે. તેથી ગૃહસ્થાએ યતનાપૂર્વક ચાલવું જોઈએ. ગૃહસ્થ જે પિતાના દરેક કાર્યમાં સૂમ દષ્ટિથી પ્રવર્તિ, તે તેથી ઘણા જ બચી શકે છે, યતનાપૂર્વક કામ કર
SR No.022507
Book TitleAatmonnati Yane Sarvagna Pranit Syadvad Darshan Swarup
Original Sutra AuthorN/A
AuthorBechardas Durlabhdas
PublisherJain Atmanand Sabha
Publication Year1913
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy