SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ યાત્રા 6 ઠી. (ર૩૧) મારવાને રીવાજ ચાલ્યું આવતું હતું. આ રીવાજ પ્રમાણે દેવીના પૂજારીએ તેટલા જ માર્યા, ત્યારે મહારાજા કુમારપાળે કહ્યું કે, “હું ને મારવા નહિ આપું. દેવીના ભેગને માટે પકવાન્ન વગેરે જોઈએ તે આપું.” ત્યારે તે બ્રાહ્મણેએ મહારાજાને કહ્યું કે, “દેવીને તે માંસને ભેગ જોઈએ છીએ, જે તે નહિ આપે તે દેવીના કેપથી તમારું રાજ્ય જશે અને તમારા કુલને ક્ષય થઈ જશે, તેમજ બીજા ઘણાં દુખે પ્રાપ્ત થશે. પરંપરાથી ચાલતે કુલને રીવાજ બંધ થવું ન જોઈએ.” બ્રાહ્મણનાં આ વચને સાંભળી મહારાજા કુમારપાળે તે પોતાના ગુરૂ હેમચંદ્રાચાર્યને કહ્યાં, ત્યારે તે દયાળુ સૂરિવર બેલ્યા–“રાજે, જો દેવી બકરાં-ઘેટા વગેરેનું ભક્ષણ કરતી હોય તે તે બ્રાહ્મણે કહે તેટલા બકરાં-ઘેટાં દેવીના મંદિરમાં રાત્રે મુકે અને પછી દરવાજા બંધ કરી તેને તાળું વાસી દે, એટલે દેવીને જેટલી સુધા હશે, તે પ્રમાણે જેને ખાઈ જશે. સવારે દરવાજો ખેલીને જશે તે જણાશે કે, દેવીએ ભક્ષ કર્યો કે નહિ? જે તે જીવતાં રહ્યાં હોય તે સાબીત થશે કે દેવી જીવોનું ભક્ષણ કરતી નથી. ભક્ષણ કરનાર તેમના પૂજારીઓ જ છે.” સૂરિવરના કહેવાથી મહારાજા કુમારપાળે એવી રીતે દેવીના મંદિરમાં એક હજાર પશુઓ પૂર્યા અને તેમના મંદિરને તાળાથી બંધ કર્યું. સવારે ઉઘાડને જોયું તે બધા જીવ જીવતાજ માલમ પડયા. આ ઉપરથી રાજાને ખાત્રી થઈ કે, આ લેકે દેવીનું નામ લઈ પિતાનું પેટ ભરવા જીવોની હિંસા કરે છે. સર્વ જીવોને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે. એક નરકના કીડાને મોટા રાજા અને ઈંદ્ર એ ત્રણેને પોતપોતાના પ્રાણ સરખા વહાલા છે. વળી આપણને જ્યારે કાંટે ભેંકાય છે, ત્યારે કેટલું દુખ થાય છે? તે ઉપરથી વિચારે કે બીજા અને મારી નાંખતા કેટલું દુઃખ થતું હશે ? ભદ્ર, આ જગતમાં સર્વ પ્રાણીને મોટામાં મોટે ભય મરણને હોય છે. કરાડ સેના મેહરનું દાન દેવા કરતાં પણ એક જીવને બચાવ એ વધારે ફલદાતા છે. જેમ કે, એક માણસને ફાંસીની સજા થઈ હોય પછી ફાંસી ચડતી વખતે કે તેને એક કરોડ સોનામહોર આપે, તે પણ તે રાજી થવાને
SR No.022507
Book TitleAatmonnati Yane Sarvagna Pranit Syadvad Darshan Swarup
Original Sutra AuthorN/A
AuthorBechardas Durlabhdas
PublisherJain Atmanand Sabha
Publication Year1913
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy